Air India ની TATA GROUPમાં ઘર વાપસી, ૬૮ વર્ષ બાદ એરલાઇન્સ ફરી ટાટા તરીકે ઓળખાશે સરકારી કંપની એર ઇન્ડિયાને TATA ખરીદવા જઈ રહી છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર પેનલે એર ઇન્ડિયા માટે ટાટા ગ્રુપની પસંદગી કરી છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી. રિપોર્ટ અનુસાર સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે JRD TATAએ ૧૯૩૨ માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ સેવાઓ બંધ થઈ ગઈ હતી. એરલાઇન્સ ફરી પુન શરૂ કરવામાં આવી ત્યારે ૨૯ જુલાઇ ૧૯૪૬ ના રોજ ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું. આઝાદી પછી ૧૯૪૭ માં, એર ઇન્ડિયાની ૪૯ ટકા ભાગીદારી સરકાર દ્વારા લેવામાં આવી હતી. ૧૯૫૩ માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
