August 8, 2026
ગુજરાત

ટ્રાફિક પોલીસની સમય સુચકતાએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો

કાલુપુર ચાર રસ્તા પાસે આવેલ ટ્રાફિક પોલીસની સુંદર કામગીરીએ એક વ્યક્તિને નવ જીવન આપ્યું,બાબુભાઈ આર ગલસર ઇનચાર્જ આચાર્યશ્રી નવસંસ્કાર હાઈસ્કૂલ જુનાવાડજ તા -૦૬/૧૦/૨૦૨૧ ના રોજ બપોરના ૩:૩૦ થી ૪૮૦૦ ના સામાન લેવા કાલુપુર આવેલ ત્યારે ચાલુ એકટીવા પર તેમને છાતીમાં દુ : ખાવો થયેલ અચાનક હાર્ટ એટેક આવતા કાલુપુર સર્કલ પાસે પોહચ્યા અને ત્યાં ફરજ બજાવી રહેલ પોલીસ કર્મી ઓને દુખાવા બાબતે જાણ કરી.

ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીશ્રીઓએ સમય સુર્તકતા વાપરી તરત જ ૧૦૮ ને જાણ કરી અને બાબુભાઇના  પરીવાર જનોને પણ જાણ કરી પાણી આપ્યું અને હવા નાખી વોમીટ થયેલ તેમ છતાં કોઈપણ જાતની સુગ રાખ્યા વગર તેમની પાસે ઉભા રહ્યા અને એમ્બબ્લન્સ આવે ત્યાં સુુુધી મનોબળ આપ્યું અને ૧૦૮ માં એપીક હોસ્પીટલ એસ જી હાઇવે સારવાર માટે પોહચ્યાડયા હતા.

ત્યારે બાબુભાઇનું  ઓપરેશન થયું  અને પોલીસની મદદથી સમય સર સારવાર મળી જેના લીધે તેમનો જીવ બચી ગયો હતો સારૂ. પોલીસની આ સતર્કતા અને ઉમદા કામગીરીથી એક વ્યક્તિનુ જીવ બચી ગયો, જીવ બચ્યા બાદ આચાર્યશ્રી બાબુભાઇ એ પોલીસ કર્મીઓના કામગીરીને બિરદાવતા પોલીસ કર્મીઓનું સન્માન કર્યું અને આભાર વ્યક્ત કર્યો હતો.

પોલીસ કર્મીઓ ટ્રાફિક નિયંત્રણ કરતા કરતા આ એક જીવ બચાવવાનો સુંદર કામગીરી અને માનવતાનો ઉત્તમ ઉદાહરણ આપ્યો છે, અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી દિલથી સલામ છે આવા પોલીસ કર્મીઓને.

Related posts

રેશનકાર્ડ પર હવે મફતમાં ચોખા નહીં મળે. તેના બદલે હવે સરકાર 9 જરૂરી વસ્તુઓ આપશે

Ahmedabad Samay

ભરૂચમાં ઝડપાયો અસલી સોનાનો નકલી કારોબાર!!! 4 ની ધરપકડ કરી 200 ગ્રામ અસલી અને 140 ગ્રામ નકલી સોનુ કબ્જે કરાયું

Ahmedabad Samay

આ સપ્તાહ ધન લક્ષ્મી માટે છે ખાસ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી દ્વારા કઇ રાશિને પર લક્ષ્મીજીની રહેશે વિશેષ કૃપા

Ahmedabad Samay

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

Ahmedabad Samay

આવતી કાલે મતગણતરી થવાની છે. ત્‍યારે મળતા ટ્રેન્‍ડ અનુસાર આ ચુંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવી શકયતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો