February 6, 2026
દેશમનોરંજન

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ અક્ષયની કુમારની ‛સૂર્યવંશી’ પર પડી ભારે, ૩ દિવસમાં કરી ૧૦૦ કરોડની કમાણી

હાલમાં જ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ અને અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીર સિંહ સ્ટારર ડિરેકટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સુર્યવંશી’ રીલિઝ થઇ છે. જેમાં ‘સુર્યવંશી’ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમાદ્યરોમાં પહોંચ્યા હતા. પણ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ ને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ ૪ નવેમ્બરે રીલિઝ થઇ હતી અને આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડની કમાણી કરી દીધી હતી. ટ્રેડ એનાલિસ્ટ કૌશિક એલએમએ સોશીયલ મીડિયામાં રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ ની બોકસ ઓફિસ કલેકશન શેર કર્યું હતું. જેમાં આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડના આંકડાને પાર પાડ્યો હતો. રજનીકાંતની ફિલ્મ જયારે પણ રીલિઝ થાય છે ત્યારે દક્ષિણ ભારતના દર્શકો ઘણી ધુમધામથી તેની ફિલ્મ જોવા માટે જાય છે.

અક્ષય કુમાર, કેટરીના કૈફ, રણવીર સિંહ અને અજય દેવગણ સ્ટાર ફિલ્મ ‘સુર્યવંશી’ બોકસ-ઓફિસ પર સારી કમાણી કરી છે. પહેલા અને બીજા દિવસ બાદ ત્રીજા દિવસે પણ ફિલ્મે બોકસ-ઓફિસ પર બંપર કમાણી કરી છે. ‘સુર્યવંશી’ ફિલ્મે કુલ ૩ દિવસમાં ૭૦ કરોડથી વધુનું કલેકશન કરી લીધું છે.

‘સુર્યવંશી’ ફિલ્મે બોકસ-ઓફિસ પર પહેલા દિવસે ૨૬.૨૯ કરોડ, બીજા દિવસે ૨૩.૮૫ કરોડની કમાણી કરી હતી. તો ત્રીજા દિવસે બોકસ-ઓફિસ પર છપ્પર ફાડ કમાણી કરતા ૨૬.૯૪ કરોડની કમાણી કરી લીધી છે. આમ આ ફિલ્મે ૩ દિવસમાં કુલ ૭૭.૦૮ કરોડનું કલેકશન કર્યું છે.

વિદેશમાં આ ફિલ્મે અપેક્ષા કરતા વધુ સારી કમાણી કરી છે. જેમાં પહેલા દિવસે ૮.૧૦ કરોડ, બીજા દિવસે ૮.૫૮ કરોડની કમાણી સાથે કુલ ૧૬.૬૮ કરોડની કમાણી કરી છે. ‘સુર્યવંશી’ ફિલ્મને દિવાળી વેકેશનનો ફાયદો મળી રહ્યો છે. જોકે નિષ્ણાંતો કહી રહ્યા છે કે આવનારા સપ્તાહમાં આ ફિલ્મ ૧૦૦ કરોડની કમાણીના આંકડાને પાર કરી દેશે

Related posts

લોકસભામાં હિંદુઓ પર કરેલા નિવેદનથી PM મોદી અને અમિતશાહ થયા ભારે ગુસ્સે

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  આજે ભાજપ વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી વર્કશોપમાં સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા

Ahmedabad Samay

ઓવૈશીએ ફરી એકવાર ઝેર ઓકતી ટ્વીટ કરી

Ahmedabad Samay

૨૦૦૦₹ની નોટ બંધીની તમામ માહિતી, આ રહી સંપૂર્ણ સચોટ માહિતી

Ahmedabad Samay

સુહાના ખાન લક્સ સાબુની નવી બ્રાન્ડ એમ્બેસેડર બની

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો