June 23, 2026
અપરાધગુજરાત

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના, લુખ્ખાતત્વો બન્યા બેફામ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં  માથાભારે શખ્સોનો ત્રાસ દિવસે ન દિવસે વધવા માંડ્યો છે. માથાભારે શખ્સો વિરુદ્ધ ત્યાંના રહીશો દ્વારા અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં પોલીસની મિલીભગતના કારણે જામીન પર છૂટી જતા હતા જેના પરિણામે માથાભારે શખ્સો એટલા બેફામ બન્યા કે આજ રોજ જાહેરમાં ફાયરીંગ કર્યું હતું આ  ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે.  આ ફાયરિંગમાં એક વ્યક્તિની હાલત નાજુક જાણવા મળી રહી છે.

વસ્ત્રાલના સ્કાય લાઈન પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે આજે અચાનક એક વ્યક્તિ પર પ્રદીપ રાજપુત દ્વારા ફાયરિંગ કરતા ઈશ્વરભાઈ નામની વ્યક્તિને ઇજા થતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ફાયરીગની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરિંગ કરી શખ્સ ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે હાલ ઘટના સ્થળ પરના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

New up 01

Related posts

નવા નરોડા વિસ્તારમાં આવેલી ૮ જેટલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રોડ પર થયેલી હત્યાના કેસમાં બે આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ શાયોના પ્લાઝા ઉપર લાગેલ મોબાઈલ ટાવર માંથી મશીન તૂટી પડ્યું, જાનહાની ટળી

Ahmedabad Samay

સામાન્ય બાબતે દુકાનદારે વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો

Ahmedabad Samay

માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા,અભિનેત્રી મમતા સોનીના ઠુમકા પર લોકો નાચ્યાં

Ahmedabad Samay

અકસ્માત મૃત્યુ કેસ મા આરોપી ૦૯ વર્ષ બાદ નિર્દોષ સાબિત થયો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો