March 24, 2026
અપરાધગુજરાત

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના, લુખ્ખાતત્વો બન્યા બેફામ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં  માથાભારે શખ્સોનો ત્રાસ દિવસે ન દિવસે વધવા માંડ્યો છે. માથાભારે શખ્સો વિરુદ્ધ ત્યાંના રહીશો દ્વારા અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં પોલીસની મિલીભગતના કારણે જામીન પર છૂટી જતા હતા જેના પરિણામે માથાભારે શખ્સો એટલા બેફામ બન્યા કે આજ રોજ જાહેરમાં ફાયરીંગ કર્યું હતું આ  ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે.  આ ફાયરિંગમાં એક વ્યક્તિની હાલત નાજુક જાણવા મળી રહી છે.

વસ્ત્રાલના સ્કાય લાઈન પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે આજે અચાનક એક વ્યક્તિ પર પ્રદીપ રાજપુત દ્વારા ફાયરિંગ કરતા ઈશ્વરભાઈ નામની વ્યક્તિને ઇજા થતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ફાયરીગની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરિંગ કરી શખ્સ ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે હાલ ઘટના સ્થળ પરના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

New up 01

Related posts

અમદાવાદના અસારવા ખાતે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005’ અન્વયે કાયદાકીય માર્ગદર્શક સેમિનારનું આયોજન

Ahmedabad Samay

ઈસનપુર અને મણીનગર પોલીસ સ્ટેશનમાં સ્કુલની વિદ્યાર્થીનીઓ એ પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધી રક્ષા આશિષ મેળવ્યા.

Ahmedabad Samay

જુહાપુરામાં વહેલી સવારે આગ લાગતા ૧પ દુકાનોમાં ભારે નુકશાન

Ahmedabad Samay

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

Ahmedabad Samay

કોરોના કેસ વધતા સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો

Ahmedabad Samay

વેહચેલો માલ પરત ન લેવો એ ગુન્હો, વ્હેચેલો માલ દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે કરો ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો