June 10, 2026
ગુજરાત

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી

તિરુચિરાપલ્લી અને શ્રી ગંગાનગર વચ્ચે દોડતી હમસફર એક્સપ્રેસમાં વલસાડ નજીક આગ લાગી હોવાની ઘટના બની હતી. મળતાં અહેવાલ પ્રમાણે વલસાડ નજીક છીપવાડ ગરનાળા પાસે હમ સફર ટ્રેન નં 22498ના ડબ્બામાં આગ લાગી હતી. આ ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી.

વલસાડમાં એક મોટી ઘટના થઈ હતી. છીપવાડમાં તિરુચિરાપલ્લી અને શ્રી ગંગાનગર વચ્ચે દોડતી હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ થોડી જ વારમાં આખી બોગીમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. ટ્રેનમાં સફર કરી રહેલા તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આ ટ્રેન તિરુચિરાપલ્લીથી શ્રી ગંગાનગર જઈ રહી હતી.

ઘટનાની માહિતી મળતાં જ ફાયરની ચાર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દોઢ કલાકની ભારે જાહેમદ બાદ ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગને લીધે કોઈ જાનહાનિના અહેવાલ નથી. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરો ભયભીત થઈ ગયા હતાં. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગી હોવાની જાણકારી આપી હતી. આગની ઘટનાને લીધે રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ફાયર બ્રિગેડની ટીમોએ ટ્રેનના જનરેટર કોચમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.  પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

Related posts

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

Ahmedabad Samay

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

Ahmedabad Samay

૧૯ માર્ચ ર૦રર ના રોજ અમદાવાદાના કર્ણાવતી કલબ ખાતેથી વીરાંજલી કાર્યક્રમ શરૂ કરાશે

Ahmedabad Samay

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રેશનકાર્ડ પર હવે મફતમાં ચોખા નહીં મળે. તેના બદલે હવે સરકાર 9 જરૂરી વસ્તુઓ આપશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો