March 27, 2026
ગુજરાત

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી

તિરુચિરાપલ્લી અને શ્રી ગંગાનગર વચ્ચે દોડતી હમસફર એક્સપ્રેસમાં વલસાડ નજીક આગ લાગી હોવાની ઘટના બની હતી. મળતાં અહેવાલ પ્રમાણે વલસાડ નજીક છીપવાડ ગરનાળા પાસે હમ સફર ટ્રેન નં 22498ના ડબ્બામાં આગ લાગી હતી. આ ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી.

વલસાડમાં એક મોટી ઘટના થઈ હતી. છીપવાડમાં તિરુચિરાપલ્લી અને શ્રી ગંગાનગર વચ્ચે દોડતી હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ થોડી જ વારમાં આખી બોગીમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. ટ્રેનમાં સફર કરી રહેલા તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આ ટ્રેન તિરુચિરાપલ્લીથી શ્રી ગંગાનગર જઈ રહી હતી.

ઘટનાની માહિતી મળતાં જ ફાયરની ચાર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દોઢ કલાકની ભારે જાહેમદ બાદ ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગને લીધે કોઈ જાનહાનિના અહેવાલ નથી. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરો ભયભીત થઈ ગયા હતાં. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગી હોવાની જાણકારી આપી હતી. આગની ઘટનાને લીધે રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ફાયર બ્રિગેડની ટીમોએ ટ્રેનના જનરેટર કોચમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.  પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

Related posts

નવઘણ ભરવાડ નાગલઘામનું ફેસબુક એકાઉન્ટ થયું હેક

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ BRTS કોરિડોરમાં ચુસ્ત બતાવવા કરતા જાહેર માર્ગ પર ધ્યાન આપે તો BRTS કોરિડોરમાં જવાની જરૂર ન પડે

Ahmedabad Samay

રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ

Ahmedabad Samay

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay

અત્યાર સુધીમાં 84 ટકા કોલલેટર થયા ડાઉનલોડ, જાણો કેટલા ભરાયા સંમતિ પત્ર

Ahmedabad Samay

નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો