February 8, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ કેબિનેટ મંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂત અને પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું.
ઉત્તર ભારતના રાજ્યોના નાના મોટા વ્યાપારીઓ ને એક પ્લેટફોર્મ પૂરું પાડી વ્યાપાર ઉદ્યોગ નું વ્યાપ વધારવા ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સંચાલિત ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી ઉદ્યોગ અને શ્રમમંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂત અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપ સિંહ જાડેજા જી ના હસ્તે ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું.
ઉત્તર ભારતીય વ્યાપારીઓ અને ઉદ્યોગ પતિઓ ને એક પ્લેટફોર્મ આપી વ્યાપાર ને વધારવા ના ઉદ્દેશ્ય થી ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક ની રચના ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના રાષ્ટ્રીય અઘ્યક્ષ શ્રી સ્યામસિંહ ઠાકુર અને પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહ જી દ્વારા કરવામાં આવી છે.
કેબિનેટ મંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂત દ્વારા સમાજના ઉદ્યોગ અને વ્યાપાર માં વિકાસ માટે તમામ સુવિધાઓ અને સરકારી મદદ આપવાની જવાબદારી સ્વીકારી .. પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપ સિંહ જાડેજાએ ગુજરાત ના વિકાસ માં ઉત્તર ભારતીય સમાજ ના યોગદાન ને બિરદાવવામાં આવ્યું..
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના રાષ્ટ્રીય અઘ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુર દ્વારા નિષ્ઠાપૂર્વક ઉદ્યોગ વ્યાપાર ને વધારવા એક બીજાનો રેફ્રેન્સ આપવા અપીલ કરવામાં આવી અને પ્રદેશ અઘ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહ જી દ્વારા ક્વોલિટી અને જવાબદારી પ્રત્યે ધ્યાન આપવા ભાર મૂકવામાં આવ્યું , ઉત્તર ભારતના વિવિધ રાજ્યો અને વિવિધ જાતિઓ ના ના નાના મોટા વ્યાપારીઓ મોટી સંખ્યા માં ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક ના લોન્ચિંગ માં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

2021-22માં 1.06 લાખ મિલિયન યુનિટ વીજ વપરાશ થયો, એક વર્ષમાં રાજ્યમાં માથાદીઠ વીજ વપરાશ 140 યુનિટ વધ્યું

Ahmedabad Samay

RRR ફિલ્મની ટીમ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે પહોંચ્યા. કેવડીયા ખાતે કોઈ ફિલ્મનું પ્રમોશન થયું

Ahmedabad Samay

આજે ચંડોળા તળાવ ખાતે આવેલા કેટલાક ગેરકાયદે ધાર્મિક સ્થળો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યું, AMC દ્વારા ₹૨૭.૫૩ કરોડના ખર્ચે ચંડોળા તળાવનો આધુનિકરણ કરાશે

Ahmedabad Samay

જાણો આ વર્ષે શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર, કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત

Ahmedabad Samay

રાજકોટ ખાતે એમએસએમીઇ કોનકલેવનું આયોજન: વેપાર ઉદ્યોગને લાગતાં 20 સ્ટોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો