February 6, 2026
ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

ગુજરાતમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ યુવક કિશન ભરવાડની હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે.

આ કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા બાદ તપાસ ATSને સોંપવામાં આવી છે. આ મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની આતંકવાદી ગતિવિધીઓમાં સંડોવણી હોવાનું સામે આવતા તેમના વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી આરોપીઓ વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, ષડયંત્ર અને આર્મ્સ એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જો કે આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. અનેક ઠેકાણે બંધનું એલાન આપવા સાથે જ હિન્દુ સંગઠનો દ્વારા ન્યાયની માંગ સાથે આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાંથી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. જેના પગલે ગુજરાત ATS દ્વારા આ કેસમાં કેસમાં ગુજસીટોક અને UAPA કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

કિશન ભરવાડની હત્યા કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જે પૈકી બે મૌલવી જમાલપુરના મૌલાના અયુબ જાવરાવાલા, દિલ્લીના મૌલવી કમરગની ઉસ્માની, ગોળીબાર કરનાર શબીર અને હત્યા સમયે બાઈક ચલાવનાર ઈમ્તિયાઝ અને હથિયાર પૂરા પાડનાર રાજકોટના અજીમ સમા સામેલ છે. દિલ્હીના મૌલાના કમરગનીની પાકિસ્તાની સંગઠન સાથે સંડોવણી પણ સામે આવી છે. હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Related posts

મોટર સાયકલની નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને અમદાવાદની પ્રખ્યાત એઈમ્સ હોસ્પીટલ દ્વારા વિરમગામ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

Ahmedabad Samay

ગાંધીનગર: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

Ahmedabad Samay

વિદ્યાર્થીની હત્યા બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સેવન્થ ડે સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો

Ahmedabad Samay

આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને રાત્રીના ૦૯ થી સવારે ૦૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો