August 7, 2026
ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

ગુજરાતમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ યુવક કિશન ભરવાડની હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે.

આ કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા બાદ તપાસ ATSને સોંપવામાં આવી છે. આ મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની આતંકવાદી ગતિવિધીઓમાં સંડોવણી હોવાનું સામે આવતા તેમના વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી આરોપીઓ વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, ષડયંત્ર અને આર્મ્સ એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જો કે આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. અનેક ઠેકાણે બંધનું એલાન આપવા સાથે જ હિન્દુ સંગઠનો દ્વારા ન્યાયની માંગ સાથે આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાંથી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. જેના પગલે ગુજરાત ATS દ્વારા આ કેસમાં કેસમાં ગુજસીટોક અને UAPA કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

કિશન ભરવાડની હત્યા કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જે પૈકી બે મૌલવી જમાલપુરના મૌલાના અયુબ જાવરાવાલા, દિલ્લીના મૌલવી કમરગની ઉસ્માની, ગોળીબાર કરનાર શબીર અને હત્યા સમયે બાઈક ચલાવનાર ઈમ્તિયાઝ અને હથિયાર પૂરા પાડનાર રાજકોટના અજીમ સમા સામેલ છે. દિલ્હીના મૌલાના કમરગનીની પાકિસ્તાની સંગઠન સાથે સંડોવણી પણ સામે આવી છે. હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Related posts

આગામી 48 કલાકમાં આંબલી, બોપલ, ઘુમા જેવા પોશ વિસ્તારો ઉપરાંત ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, કડી-કલોલ અને માણસા વિસ્તારમાં ભારે વરસાદ પગલે જનતાને સાવચેત રહેવા વિનંતી

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

આગામી 28 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, CM ભુપેન્દ્ર પટેલે તંત્રને સતર્ક રહેવા જણાવ્યું

Ahmedabad Samay

ગુજરાતમાં અમદાવાદ બની શકે છે પ્રથમ વખત 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનું સાક્ષી

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો