February 6, 2026
ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

ગુજરાતમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ યુવક કિશન ભરવાડની હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે.

આ કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા બાદ તપાસ ATSને સોંપવામાં આવી છે. આ મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની આતંકવાદી ગતિવિધીઓમાં સંડોવણી હોવાનું સામે આવતા તેમના વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી આરોપીઓ વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, ષડયંત્ર અને આર્મ્સ એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જો કે આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. અનેક ઠેકાણે બંધનું એલાન આપવા સાથે જ હિન્દુ સંગઠનો દ્વારા ન્યાયની માંગ સાથે આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાંથી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. જેના પગલે ગુજરાત ATS દ્વારા આ કેસમાં કેસમાં ગુજસીટોક અને UAPA કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

કિશન ભરવાડની હત્યા કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જે પૈકી બે મૌલવી જમાલપુરના મૌલાના અયુબ જાવરાવાલા, દિલ્લીના મૌલવી કમરગની ઉસ્માની, ગોળીબાર કરનાર શબીર અને હત્યા સમયે બાઈક ચલાવનાર ઈમ્તિયાઝ અને હથિયાર પૂરા પાડનાર રાજકોટના અજીમ સમા સામેલ છે. દિલ્હીના મૌલાના કમરગનીની પાકિસ્તાની સંગઠન સાથે સંડોવણી પણ સામે આવી છે. હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Related posts

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જળાભિષેક-ષોડશોપચાર પૂજા વિધી કરાશે

Ahmedabad Samay

જો આપના પૈસા ભુલથી અન્ય કોઇ વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હોયતો આ રીતે મેળવો પૈસા પાછા

Ahmedabad Samay

અમદાવાદ ગ્રામ્ય બાવળા દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન શરૂ થશે.

Ahmedabad Samay

જ્યાં સુધી BRTS બંધ છે ત્યાં સુધી કોરિડોરનો તમામ વાહન ઉપયોગ કરી શકશે

Ahmedabad Samay

મેમકો વિસ્તારમાં પોલીસના હપ્તા ખોરીના કારણે સુરત વાડી ઘટના બનતી રહી ગઇ,મેમકો વિસ્તારમાં બન્યો છેડતીનો બનાવ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કુમકુમ સ્કૂલ, મણિનગર ના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો