March 26, 2026
ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી શુક્રવાર સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે

સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાનશ્રી મોદીનો ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ જાહેર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે તે જ દિવસે તા. ૧૧ મીએ એરપોર્ટથી કમલમ સુધીનો ભવ્‍ય રોડ શોનું આયોજન કરવામાં આવશે. પ્રદેશ ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ સભ્‍ય અને અપેક્ષીત હોદેદારો હાજર રહેશે.

પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક પણ કરશે. ત્‍યારબાદ કમલમ ખાતે ભોજન લેશે. ત્‍યારબાદ શ્રી મોદી રાજ ભવન જશે. ત્‍યાંથી જીએમડીસી ખાતે સ્‍થાનીક સ્‍વરાજ સંસ્‍થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે. રાજયનું વહીવટી તંત્ર સમગ્ર વ્‍યવસ્‍થા ગોઠવે છે.

૧ર તારીખે રક્ષા શકિત યુનિવર્સિટી ખાતે તે સમગ્ર સંકુલનું લોકાર્પણ અને કોન્‍વકેશનાં હાજરી આપશે. સાંજે ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવશે. સાંજે ૬ વાગ્‍યે સરદાર પટેલ સ્‍ટેડિય ખાતે મહાકુંભ ઉદ્દઘાટન કરવામાં આવશે. તે દરમ્‍યાન સ્‍પોર્ટસ પોલીસીની પણ જાહેરાત કરવામાં આવશે.

Related posts

હવે થોડી છુટ છાટ સાથે ધમધમસે ગુજરાત

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

અદાણી ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દાન

Ahmedabad Samay

100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના

Ahmedabad Samay

અમદાવાદ – ડ્રગ્સ હેરાફેરીમાં નાના બાળકોના ઉપયોગ મામલે હાઈકોર્ટમાં સુનાવણી

admin

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો