June 22, 2026
ગુજરાતરાજકારણ

નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાત લીધી, ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થવાના એંધાણ

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ને લઈને પાટીદાર અગ્રણી નરેશ પટેલને વિવિધ પક્ષો દ્વારા પાર્ટીમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ નરેશ પટેલને પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપી દીધું છું. આ બધા વચ્ચે નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાત લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવા માટેની પૂર્વભૂમિકા લગભગ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે, જેથી હોળી પછી કઈંક નવા-જૂની થવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાનુ રાજકારણ તેજ બન્યુ છે. કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને પક્ષમાં લાવવા માંગ કરી રહ્યાં છે. આ દરમિયાન નરેશ પટેલ આજે દિલ્હીમાં સામાજિક પ્રસંગ માટે ગયા હોવાનું જાણવા મળ્યું છે. જયાં તેઓ રાજકીય મુલાકાત કરી શકે છે. બીજી તરફ એવી પણ શકયતા સેવાઈ રહી છે કે, હોળી પછી નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ નરેશ પટેલને મોટું પદ પણ આપી શકે છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર કોંગ્રેસના જ નેતા મનહર પટેલે એક ટ્વીટ કરીને માંગ કરી છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં કયારે જોડાવાના છે તેની તારીખ હાઈકમાન્ડ જાહેર કરે. તો સાથે જ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ કહ્યું કે, નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની કવાયત ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર મત અંકે કરવા કોંગ્રેસ નરેશ પટેલને મેદાનમાં ઉતારી શકે છે.

Related posts

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

Ahmedabad Samay

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકાશે

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાશે સી.પી.આર. પ્રશિક્ષણ કેમ્પ: ૧૪૦૦ પોલીસને અપાશે પ્રાથમિક સારવારની તાલીમ

Ahmedabad Samay

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ahmedabad Samay

બાંગ્લાદેશની ઐતિહાસિક ચૂંટણીમાં BNPએ બહુમતી મેળવીને તારીખ રહેમાન બન્યા નવા PM, રહેમાન ભારત સાથે સુધારશે સંબંધ, PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો