February 6, 2026
ગુજરાત

પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી છે. જેઓ જામનગરમાં વનતારાની મુલાકાત લઈને સોમનાથ પહોંચ્યા હતા. જો કે, હવે જેઓ સોમનાથના દર્શન કરીને સાસણ ગીરની મુલાકાત કરી દિલ્હી પરત ફરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી આગામી 7 અને 8 માર્ચે રોજ દક્ષિણ ગુજરાતના સુરત – નવસારીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમો માટે વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત અને નવસારીના કાર્યક્રમ માટે રૂપિયા 14 કરોડના ખર્ચે 2 વિશેષ ડોમ તૈયાર કરાશે. સુરતના લિંબાયતમાં નિલગીરી ગ્રાઉન્ડમાં આગામી 7મી માર્ચનાં રોજ પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દરમિયાન અન્ન સુરક્ષા સંતતિ યોજના હેઠળ શહેર અને જિલ્લાના 75 હજારથી વધુ પરિવારોને નિઃશુલ્ક રાશન વિતરણ કરવામાં આવશે. નિલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજીત થનાર વિશાળ જનસભા માટે 7 કરોડ 15 લાખના ખર્ચે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.

આ દરમિયાન તેઓ કેપિટલ સ્કવેરથી મહારાણા પ્રતાપ સર્કલ અને ત્યાંથી નિલગીરી સર્કલ સુધી 3 કિલોમીટરનો મેગા રોડ શો યોજાશે…જનસભા માટે 53 હજાર ચોરસ મીટર વિસ્તારની જગ્યા પર 38 હજાર ચોરસ મીટરનો ડોમ તૈયાર થશે. લાખોની મેદની પીએમને આવકારવા ઉમટી પડે શકે છે

Related posts

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભનો આયોજન કરાયું.

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

Ahmedabad Samay

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા ટેક્સ કોન્કલેવ યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ – રામોલ પોલીસે 37 લાખની કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો