August 13, 2026
જીવનશૈલીદેશ

છૂટક ફુગાવો ૮ વર્ષની ટોચે પહોંચ્‍યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્‍થાબંધ ફુગાવાએ પણ નવો રેકોર્ડ બનાવ્‍યો હતો.

સામાન્‍ય લોકો પર મોંઘવારીની અસર ઓછી થવાનું નામ નથી લઈ રહી. છૂટક ફુગાવો ૮ વર્ષની ટોચે પહોંચ્‍યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્‍થાબંધ ફુગાવાએ પણ નવો રેકોર્ડ બનાવ્‍યો હતો. સરકારી આંકડા મુજબ, જથ્‍થાબંધ ફુગાવાનો દર ગયા મહિને ૧૫.૦૮ ટકા રહ્યો હતો. એક વર્ષ પહેલા એટલે કે એપ્રિલ ૨૦૨૧માં જથ્‍થાબંધ ફુગાવાનો દર ૧૦.૭૪ ટકા હતો.

ડિપાર્ટમેન્‍ટ ઓફ પ્રમોશન ઑફ ઈન્‍ડસ્‍ટ્રી એન્‍ડ ઈન્‍ટરનલ ટ્રેડ (DPIIT) એ મંગળવારે  ફુગાવાના આંકડા જાહેર કર્યા. ડીપીઆઈઆઈટીએ જણાવ્‍યું હતું કે તેલ અને ઈંધણના ઊંચા ભાવને કારણે એપ્રિલમાં જથ્‍થાબંધ ફુગાવો વધ્‍યો છે. અગાઉ, વિશ્‍લેષકો પણ આગાહી કરી રહ્યા હતા કે એપ્રિલમાં જથ્‍થાબંધ ભાવ આધારિત ફુગાવો ૧૫.૫ ટકાની આસપાસ રહી શકે છે. તાજેતરના ડેટા અનુસાર, એપ્રિલ સતત ૧૩મો મહિનો છે, જ્‍યારે જથ્‍થાબંધ ફુગાવાનો દર ૧૦ ટકાથી ઉપર છે. અગાઉ માર્ચ મહિનામાં જથ્‍થાબંધ ફુગાવાનો દર ૧૪.૫૫ ટકા હતો.

ખનિજ તેલ, મૂળભૂત ધાતુઓ, ક્રૂડ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ઉપભોજ્‍ય વસ્‍તુઓ, બિન ખાદ્ય ચીજવસ્‍તુઓ, ખાદ્ય ઉત્‍પાદનો અને રસાયણો અને રાસાયણિક ઉત્‍પાદનો એપ્રિલ ૨૦૨૨ માં જથ્‍થાબંધ ફુગાવાના ઊંચા દર માટે જવાબદાર હશે. કિંમતોમાં જવાબદાર છે. ગયા વર્ષના એપ્રિલની સરખામણીએ આ તમામ  વસ્‍તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

ડેટા અનુસાર એપ્રિલ મહિનામાં ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર ૮.૩૫ ટકા હતો જે માર્ચમાં ૮.૦૬ ટકા હતો. એ જ રીતે, ઇંધણ અને વીજળીના બાસ્‍કેટમાં જથ્‍થાબંધ ફુગાવાનો દર માર્ચમાં ૩૪.૫૨ ટકાની સરખામણીએ વધીને ૩૮.૬૬ ટકા થયો છે. ઉત્‍પાદિત માલસામાનના કિસ્‍સામાં, ફુગાવાના દરમાં થોડો વધારો થયો છે. માર્ચમાં તે ૧૦.૭૧ ટકા હતો જે એપ્રિલમાં ૧૦.૮૫ ટકા પર પહોંચ્‍યો હતો.

અગાઉ, સરકારે ગયા અઠવાડિયે છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા. સરકારી ડેટા અનુસાર એપ્રિલ ૨૦૨૨માં છૂટક ફુગાવો ૭.૮ ટકા હતો, જે મે ૨૦૧૪ પછી સૌથી વધુ છે. વધતી જતી ફુગાવાના કારણે રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં પ્‍ભ્‍ઘ્‍ની બેઠક કરીને રેપો રેટમાં અચાનક વધારો કરવો પડ્‍યો હતો. રિઝર્વ બેન્‍કે રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કરતાં સ્‍વીકાર્યું હતું કે આવનારા મહિનામાં સામાન્‍ય લોકો મોંઘવારીનાં ઊંચા દરમાંથી મુક્‍તિ મેળવવાના નથી.

Related posts

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારના તમામ દાવાઓ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

Ahmedabad Samay

૧૩ ઓગસ્ટ – વિશ્વ અંગ દાન દિવસ: રાજકોટમાં પહેલું અંગદાન ૨૦૦૬ માં થયેલું, અત્યાર સુધીમાં કુલ ૧૦૮ અંગદાન

Ahmedabad Samay

બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડિયન અભિનેતા અસરાનીનું લાંબી બીમારી બાદ ૮૪ વર્ષની વયે નિધન

Ahmedabad Samay

અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ બંદર પર ૦૧ નંબરનું અને વેરાવળમાં ૦૨ નંબરનું સિગ્નલ લગાવાયુ

Ahmedabad Samay

બજેટ ની ખાસ વાતો

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ માટે જંગી વિજય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો