June 23, 2026
દેશ

બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડિયન અભિનેતા અસરાનીનું લાંબી બીમારી બાદ ૮૪ વર્ષની વયે નિધન

દિવાળીના પાવન અવસર પર મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય અભિનેતા અસરાની (Asrani) નું લાંબી બીમારી બાદ ૮૪ વર્ષની વયે નિધન થયું છે.

ફેફસાંની સમસ્યાને કારણે હતા હોસ્પિટલમાં:
અહેવાલ મુજબ, અભિનેતા અસરાની છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને મુંબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને ફેફસાં સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. આજે સોમવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અભિનેતા-નિર્દેશક ગોવર્ધન અસરાની, જેઓ ‘અસરાની’ તરીકે જાણીતા હતા, તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવારજનો અને મિત્રો એકઠા થયા હતા.

Related posts

IIT દિલ્હીએ બનાવ્યું શાકાહારી માસ

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ

Ahmedabad Samay

ફેસબુકનું સર્વર થયું ડાઉન,પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સર્વરમાં થઇ ટેકનિકલ ખામી

Ahmedabad Samay

આજ રોજ મહાન કલાકાર શ્રી રાજેશ ખન્ના સાહબ નો જન્મ

Ahmedabad Samay

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુખદ સમાચાર, એક્ટર અને બોડી-બિલ્ડર વરિંદર સિંહ ધુમનનું થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો