June 15, 2026
દેશ

બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડિયન અભિનેતા અસરાનીનું લાંબી બીમારી બાદ ૮૪ વર્ષની વયે નિધન

દિવાળીના પાવન અવસર પર મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય અભિનેતા અસરાની (Asrani) નું લાંબી બીમારી બાદ ૮૪ વર્ષની વયે નિધન થયું છે.

ફેફસાંની સમસ્યાને કારણે હતા હોસ્પિટલમાં:
અહેવાલ મુજબ, અભિનેતા અસરાની છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને મુંબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને ફેફસાં સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. આજે સોમવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અભિનેતા-નિર્દેશક ગોવર્ધન અસરાની, જેઓ ‘અસરાની’ તરીકે જાણીતા હતા, તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવારજનો અને મિત્રો એકઠા થયા હતા.

Related posts

યુ.એસ જવા ઇચુકો માટે સપનું સાકાર કરવાનો સુનેહરો મોકો, આટલી ફી ભરી મેળવો ગ્રીન કાર્ડ

Ahmedabad Samay

કર્ણાટકના રાજકારણમાં એક નિર્ણાયક વળાંક, ડી કે શિવકુમાર નવા મુખ્ય મંત્રી

Ahmedabad Samay

ગુરુવારથી દુબઈમાં ફસાયેલા ભારતીયો ને પાછા લવાશે.

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વીડિયો કોનફરન્સ દરમ્યાન આપી અનેક સલાહ

Ahmedabad Samay

રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં RSS ની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે વિજયાદશમી ઉજવણીમાં સંબોધન કર્યું

Ahmedabad Samay

માઉન્ટ આબુમાં તાપમાન -૪,તાપમાન શૂન્‍ય બિંદુથી નીચે જતા માઉન્‍ટ આબુમાં ગુજરાત તેમજ ભારતના બાકીના ભાગોમાંથી પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો