આજ રોજ ૧૫મી ઓગષ્ટના રોજ મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, સ્માહરોહમાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા, મરાઠી સમાજના નાના નાના બાળકોએ દેશ ભક્તિના ગીતો પર ડાન્સ પરફોર્મન્સ તલવારબાજી નું પર્ફોર્મન્સ પણ કર્યું હતું, વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણનું કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મરાઠી સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, મરાઠી સમાજના લોકોએ મોટી સ્નાખ્યામાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

