February 6, 2026
ગુજરાત

ગુજરાત સરકારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો, હવે ૪૦૦રૂ. માં થશે ટેસ્ટ

ગુજરાત સરકારે આજે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. ડેપ્યૂટી સીએમ નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરટ ટેસ્ટ ૪૦૦ રૃપિયામાં થશે. સરકારે ટેસ્ટમાં ૩૦૦ રૃપિયાનો દ્યટાડો કર્યો છે.

અગાઉ ખાનગી લેબમાં ૭૦૦ રૃપિયા ટેસ્ટ માટેના લેવાતા હતા. ત્યારબાદ દર્દીના ઘરે જઈને ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. દર્દીના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૫૫૦ રૃપિયા લેવામાં આવશે. જયારે અગાઉ દર્દીના ઘરે RTPCR ટેસ્ટ માટે ૯૦૦ રૃપિયા ચાર્જ લેવામાં આવતો હતો. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના મફતમાં ટેસ્ટ કરવામાં આવે છે. એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટના ૨૭૦૦ રૃપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ પહેલાં એરપોર્ટ પર તેના ૪ હજાર રૃપિયા આરટી-પીસીઆરના લેવામાં આવતા હતાં.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, HRCT ટેસ્ટમાં ૫૦૦ રૃપિયા દ્યટાડી ૨૫૦૦ રૃપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટીસ્કેનનો દર ૩ હજાર હતો જેમાં ૫૦૦ રૃપિયાનો દ્યટાડો કરી ૨૫૦૦ હજાર કરવામાં આવ્યો છે. રાજયમાં વિનામૂલ્યે એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં ૧ કરોડ ૬૧ લાખ કરતા વધુ ટેસ્ટ કરાયા છે. તો વળી ૯૧ લાખ ૯૫ હજાર એન્ટી રેપીડ ટેસ્ટ ટેસ્ટ કરાયા છે.

New up 01

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

ઇન્ડિયા ગઠબંધનના મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપ શબ્દો બોલાયા હતા જેને પગલે બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય દ્વારા વિરોધ કરાયું

Ahmedabad Samay

શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા સન્માન કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવાઇ

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો