વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો તથા જાહેરસભા યોજાઇ છે. તેમજ ૩૪૭૨ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન કર્યું હતું.સુરત ખાતે વડાપ્રધાન તેમાં પાણી પુરવઠા, ડ્રેનેજ પ્રોજેક્ટસ, ડ્રીમ સીટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્ય વિકાસ કાર્યો જેવા કે જાહેર માળખાકીય સુવિધા રૂા. ૩૪૦૦ કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેકટસનો શિલાન્યાસ કરશે અને સમર્પિત કરશે. જ્યારે ભાવનગરમાં વડાપ્રધાન રૂા. ૫૨૦૦ કરોડથી વધુના પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ અને ભાવનગર ખાતે બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે. પોર્ટ ને રૂા. ૪૦૦૦ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે.
સુરત બાદ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ગરબાના કાર્યક્રમમાં માતાજીની પૂજા અર્ચના અને આરતી માટે પહોંચ્યા છે. કાર્યક્રમની શરૂઆત પહેલા પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે માતાજીની આરતી ઉતારી હતી.GMDC ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ માતાજીની આરતી ઉતારી. આ સાથે ખેલૈયાઓએ પણ પીએમ મોદી સાથે હાથમાં દીવા લઈ માતાજીની આરતી ઉતારી હતી.નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
