June 22, 2026
અપરાધગુજરાતતાજા સમાચાર

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

ચાંદલોડીયા રૂદ્રમ ફુલેટ ના શોપીંગ કોમ્પલેક્ષ ખાતે વિજયપાલની દુકાન નંબર ૨૯  દુકાન હાલમાં ખાલી પડેલ છે જેનો ત્યાના લુખ્ખા તત્વો દ્વારા જબરજસ્તી કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

જેની પોલીસ ફરિયાદ પ્રમાણે  હકીકત જાણવા મળતા ૨૯/૦૯/૨૦૨૨ ના રોજ વિજયપાલનો દીકરો સતીષ તેના મિત્ર વીજય કોરી નાની સાથે ચાંદલોડીયા ખાતે આવેલ દુકાને રાત્રીના સાડા દશેક વાગે ગયેલ હતો તેને જોવા મળ્યું કે તેમની દુકાન ખુલ્લી હતી અને દુકાનમાં બાજુની દુકાન વાળા રાહુલ યાદવ એ ફર્નીચરનો સામાન રાખેલ હતો જેથી વિજયપાલના દીકરાએ તેને કહેલ કે ” અમારી દુકાનમાં કોને પુછીને સામાન મુકેલ છે ” તેમ કહેતા આ રાહુલ યાદવે કોઇ જવાબ આપેલ નહીં તેમના દીકરા સાથે બોલા ચાલી કરવા લાગેલ જેથી  દીપકે મને ફોન કરતા વિજયપાલ તેમના બે દીકરાઓ સાથે તેમની દુકાને આવેલ આ વખતે બે જણા તેમની દુકાનમાંથી સામાન ખાલી કરતા હતા

જેથી વિજયપાલે રાહુલ યાદવને અમારી દુકાનમાં સામાન કેમ મુકેલ હતો અને કોને પુછીને મુશ્કેલ હતો તેમ કહેતા તે તેમની સાથે પણ બોલાચાલી ઝગડો કરવા લાગેલ આ વખતે આજુબાજુના લોકો ભેગા થઇ ગયેલ અને તેમની વચ્ચે ઝપા ઝપી થઇ રહેલ હતી

તે વખતે રાહુલ યાદવને કંઇક વાગી ગયેલ આ દરમ્યાન આ રાહુલ યાદવના પિતા આવી ગયેલ અને તે ઓએ પોતાની પાસેથી રીવોલ્વર કાઢી  દુકાનની આગળ બહારના ભાગે જાહેરમાં હવામાં એક વખત ફાયરીંગ કરેલ

જે થી વિજયપાલ ત્યાંથી ભાગી ગયેલ અને થોડા દૂર જઈ તેમના દીકરા સતીષે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરેલ અને થોડીવાર માં પોલીસ ત્યાં આવી ગયેલ અને આ તમામ ગુન્હા અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ હતી. પોલીસ દ્વારા હવામાં ફાયરીંગ અને દુકાન કબજે કરવા બાબતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

ઓહ ટામેટા ખાવાથી આવું થાય? ટામેટાની અસર વિશે જાણી ઉડી જશે ઊંઘ

Ahmedabad Samay

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

Ahmedabad Samay

ઇંડા અને નોનવેજની લારીઓ વાળા પર સરકારી બાબુઓ ની તવાઇમાં દેશી દારૂના અડ્ડા કડક કાયદા હોવા છતા કેમ બાકાત ?

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડનમાં દેખાયા કોરોના ના સુપર સ્પ્રેડર

Ahmedabad Samay

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay

રાવણનું દુઃખદ અવસાન,રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો