August 7, 2026
Other

અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ પોતપોતાના શિબિરોમાં પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે છ વર્ષ પછી, તેઓ ૨૦૩૧ ના કુંભમાં ફરીથી આવશે

પ્રયાગરાજ મહાકુંભનો ત્રીજો સૌથી મોટો ઉત્‍સવ, વસંત પંચમીનો અમળત સ્નાન પછી, વિવિધ અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ પોતપોતાના શિબિરોમાં પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે છ વર્ષ પછી, તેઓ ૨૦૩૧ ના કુંભમાં ફરીથી પ્રયાગરાજ આવશે.

મહા કુંભ મેળા વહીવટીતંત્રે સોમવારે વહેલી સવારે અખાડાઓને શાહી સ્નાન માટે નિヘતિ સમય પૂરો પાડ્‍યો હતો. આ પ્રસંગે, નાગા સાધુઓ અને સંતોએ પરંપરાગત પોશાક પહેરીને તાાન કર્યું. તેઓ રથ, હાથી, ઊંટ અને ઘોડા પર સવાર થઈને સંગમ કિનારે પહોંચ્‍યા. તેમની સાથે તલવારો, ગદા અને રત્‍નજડિત માળાઓની ભવ્‍યતા જોવા મળી. તાાન પછી, સંતોએ તેમના શિબિરોમાં પ્રાર્થના કરી અને પ્રયાગરાજ મહાકુંભથી પ્રસ્‍થાનની તૈયારીમાં વ્‍યસ્‍ત થઈ ગયા.

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્‍દ્ર પુરીએ જણાવ્‍યું હતું કે, વસંત પંચમીના અવસર પર આ છેલ્લું શાહી તાાન હતું. આ પછી આપણે વારાણસી જવા રવાના થઈશું. અમારી પાસે ૪૦ મિનિટનો સમય હતો. હું ભક્‍તોને વિનંતી કરું છું કે સંગમ ઘાટ પર બિનજરૂરી ભીડ ન વધે. તેમણે જણાવ્‍યું કે આ શાહી તાાન માટે લગભગ ૫૦૦૦ થી ૬૦૦૦ નાગા સંતો સંગમ કિનારે પહોંચ્‍યા હતા. વહીવટીતંત્રે અખાડાઓના પરત આવવા માટે જરૂરી વ્‍યવસ્‍થા પહેલાથી જ સુનિશ્‍ચિત કરી દીધી છે.

શાહી તાાન દરમિયાન, અખાડાઓ તેમના દેવતાઓની મૂર્તિઓ અને પ્રતીકો લઈને સંગમ પહોંચ્‍યા. મહામંડલેશ્વરોએ રથ પર સવારી કરીને શોભાયાત્રાનું નેતળત્‍વ કર્યું. જુના અખાડાના સ્‍વામી કૈલાશાનંદ ગિરીએ કહ્યું, આજનો દિવસ ખાસ કરીને પવિત્ર છે. અમે સવારે ૪:૩૦ વાગ્‍યે સંગમ જવા નીકળ્‍યા. આ દેવી સરસ્‍વતીનો દિવસ છે, જેનું ખૂબ જ આધ્‍યાત્‍મિક મહત્‍વ છે.

વસંત પંચમીના શાહી તાાન પછી, અખાડાઓના સંતોનું પુનરાગમન શરૂ થઈ ગયું છે. પ્રયાગરાજથી વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો, સંતો અને નાગા સાધુઓ પોતપોતાના સ્‍થળોએ જવા રવાના થઈ રહ્યા છે. જોકે, મેળા વિસ્‍તારમાં ભક્‍તોની અવરજવર હજુ પણ ચાલુ રહેશે. અખાડાઓમાંથી સંતોના પ્રસ્‍થાન છતાં, મહાકુંભ ૨૬ ફેબ્રુઆરી, શિવરાત્રીના દિવસે ચાલુ રહેશે.

માઘ મહિનાના શુક્‍લ પક્ષની પાંચમી તિથિએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તારીખ ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સવારે ૯:૧૪ વાગ્‍યે શરૂ થઈ અને ૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૬:૫૨ વાગ્‍યે સમાપ્ત થઈ. આ દિવસે દેવી સરસ્‍વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્‍યતા અનુસાર, દેવી સરસ્‍વતીનો જન્‍મ માઘ મહિનાની શુક્‍લ પંચમીના રોજ થયો હતો, તેથી તેને વિદ્યા અને જ્ઞાનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

Related posts

રીક્ષા ચાલકોએ હવેથી તમામ વિગતો પોતાની રીક્ષા પાછળ લખવાની રહેશે.  રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયતા બનશે

Ahmedabad Samay

શ્રી નાથુરામ ગોડસે જીની જન્મજયંતિ કર્ણાવતી મહાનગરમાં હિન્દુ સેના દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી

Ahmedabad Samay

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોનમાં 1191 દોડવીરો ઉત્સાહભેર દોડ્યા

Ahmedabad Samay

ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

Ahmedabad Samay

જીવરાજ બ્રિજ પાસે પારિવારિક કંકાસ અને પ્રેમ લગ્નનું વેર હોવાથી પ્રૌઢની જાહેરમાં હત્યા કરાઇ

Ahmedabad Samay

ઇલેક્શનમાં પોલીસે કરોડો રૂપિયાનું દંડ જતું કર્યું:વિશાલ પાટનકર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો