April 16, 2026
Other

અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ પોતપોતાના શિબિરોમાં પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે છ વર્ષ પછી, તેઓ ૨૦૩૧ ના કુંભમાં ફરીથી આવશે

પ્રયાગરાજ મહાકુંભનો ત્રીજો સૌથી મોટો ઉત્‍સવ, વસંત પંચમીનો અમળત સ્નાન પછી, વિવિધ અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ પોતપોતાના શિબિરોમાં પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે છ વર્ષ પછી, તેઓ ૨૦૩૧ ના કુંભમાં ફરીથી પ્રયાગરાજ આવશે.

મહા કુંભ મેળા વહીવટીતંત્રે સોમવારે વહેલી સવારે અખાડાઓને શાહી સ્નાન માટે નિヘતિ સમય પૂરો પાડ્‍યો હતો. આ પ્રસંગે, નાગા સાધુઓ અને સંતોએ પરંપરાગત પોશાક પહેરીને તાાન કર્યું. તેઓ રથ, હાથી, ઊંટ અને ઘોડા પર સવાર થઈને સંગમ કિનારે પહોંચ્‍યા. તેમની સાથે તલવારો, ગદા અને રત્‍નજડિત માળાઓની ભવ્‍યતા જોવા મળી. તાાન પછી, સંતોએ તેમના શિબિરોમાં પ્રાર્થના કરી અને પ્રયાગરાજ મહાકુંભથી પ્રસ્‍થાનની તૈયારીમાં વ્‍યસ્‍ત થઈ ગયા.

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્‍દ્ર પુરીએ જણાવ્‍યું હતું કે, વસંત પંચમીના અવસર પર આ છેલ્લું શાહી તાાન હતું. આ પછી આપણે વારાણસી જવા રવાના થઈશું. અમારી પાસે ૪૦ મિનિટનો સમય હતો. હું ભક્‍તોને વિનંતી કરું છું કે સંગમ ઘાટ પર બિનજરૂરી ભીડ ન વધે. તેમણે જણાવ્‍યું કે આ શાહી તાાન માટે લગભગ ૫૦૦૦ થી ૬૦૦૦ નાગા સંતો સંગમ કિનારે પહોંચ્‍યા હતા. વહીવટીતંત્રે અખાડાઓના પરત આવવા માટે જરૂરી વ્‍યવસ્‍થા પહેલાથી જ સુનિશ્‍ચિત કરી દીધી છે.

શાહી તાાન દરમિયાન, અખાડાઓ તેમના દેવતાઓની મૂર્તિઓ અને પ્રતીકો લઈને સંગમ પહોંચ્‍યા. મહામંડલેશ્વરોએ રથ પર સવારી કરીને શોભાયાત્રાનું નેતળત્‍વ કર્યું. જુના અખાડાના સ્‍વામી કૈલાશાનંદ ગિરીએ કહ્યું, આજનો દિવસ ખાસ કરીને પવિત્ર છે. અમે સવારે ૪:૩૦ વાગ્‍યે સંગમ જવા નીકળ્‍યા. આ દેવી સરસ્‍વતીનો દિવસ છે, જેનું ખૂબ જ આધ્‍યાત્‍મિક મહત્‍વ છે.

વસંત પંચમીના શાહી તાાન પછી, અખાડાઓના સંતોનું પુનરાગમન શરૂ થઈ ગયું છે. પ્રયાગરાજથી વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો, સંતો અને નાગા સાધુઓ પોતપોતાના સ્‍થળોએ જવા રવાના થઈ રહ્યા છે. જોકે, મેળા વિસ્‍તારમાં ભક્‍તોની અવરજવર હજુ પણ ચાલુ રહેશે. અખાડાઓમાંથી સંતોના પ્રસ્‍થાન છતાં, મહાકુંભ ૨૬ ફેબ્રુઆરી, શિવરાત્રીના દિવસે ચાલુ રહેશે.

માઘ મહિનાના શુક્‍લ પક્ષની પાંચમી તિથિએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તારીખ ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સવારે ૯:૧૪ વાગ્‍યે શરૂ થઈ અને ૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૬:૫૨ વાગ્‍યે સમાપ્ત થઈ. આ દિવસે દેવી સરસ્‍વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્‍યતા અનુસાર, દેવી સરસ્‍વતીનો જન્‍મ માઘ મહિનાની શુક્‍લ પંચમીના રોજ થયો હતો, તેથી તેને વિદ્યા અને જ્ઞાનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

Related posts

ભારતીય શેરબજારમાં જોવા મળેલી ઐતિહાસિક તેજી બાદ હવે આજના ટ્રેડિંગ સત્ર પર સૌની નજર

Ahmedabad Samay

સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મમાં રણબીર કપૂર, આલીયા ભટ્ટ અને વિક્કી કોૈશલ દેખાશે

Ahmedabad Samay

પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

ATASએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

Ahmedabad Samay

ન્યાય અને જન કલ્યાણ અર્થે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનો શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

સોરઠમાં હવામાન પલટાયુ, જૂનાગઢમાં હળવા છાંટા પડ્યા, રવિવાર સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો