કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ હોવાના કારણે મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ૭ના મોત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, કેદારનાથથી ૨ કિ.મી. દુર ગરૂડચટ્ટીમાં અનેક યાત્રિકો સવાર હતા ત્યારે જ આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલટ સહિત ૭ના મોત થયા છે.
ગુપ્તકાશીથી કેદારનાથની ઉડાન ભરતા આ દુર્ઘટના બની છે. આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે ગુપ્તકાશીથી કેદારઘાટી તરફ આ દુર્ઘટના બની છે. રાહત અને બચાવકાર્ય ચાલુ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત પર જશે.
https://youtu.be/T6nB7Z-s26E
ગાઢ ધુમ્મસ – શૂન્ય વીજીબીલીટી હોવા છતાં હેલીકોપ્ટર ટેક ઓફ થયું. મૃતકમાં પાઇલોટનો પણ સમાવેશ થાય છે. સવારે ૧૧.૪૦ કલાકે ઘટના બની હતી. મૃતકમાં ત્રણ ગુજરાતી ૧-૧ કર્ણાટક અને ઝારખંડના શ્રધ્ધાળુનો સમાવેશ થાય છે. ઘટનાની તપાસ કરવામાં આવશે.
