March 26, 2026
ગુજરાતતાજા સમાચાર

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે

પોરબંદર લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાની શોભાયાત્રા રદ કરી : મોરબીમાં દુર્ઘટનાને પગલે શોભાયાત્રા કેન્સલ કરાઈ

https://youtu.be/lutMQYhyMkE

આ કારણે બની મોટી દુર્ઘટના

દિવાળીનો તહેવાર અને રવિવારની રજાઓ હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા. આ બ્રિજ પર આજે આશરે 500થી વધુ લોકો સવાર હતા. ત્યારે બ્રિજ પર કેપેસિટી કરતા વધારે લોકો ભેગા થવાથી આ દુર્ઘટના સર્જાઈ હોય એમ લાગે છે. એક ગણતરી પ્રમાણે એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ધ્યાનમાં રાખીએ તો બ્રિજ પર જે-તે સમયે 30 હજાર કિલો એટલે કે 30 ટનથી વધુ વજન હોવાનું અનુમાન લગાવી શકાય છે. પરંતુ વાસ્તાવિકતામાં બ્રિદ મહત્તમ 100 લોકોનું વજન ઝીલી શકે એટલી કેપેસિટી હોવાનું સરકારના જાણકાર અધિકારીઓ જણાવી રહ્યા છે. જેના કારણે બ્રિજ પર કેપિસિટી કરતા વધારે વજન થતાં બ્રિજના કટકા થઈ ગયા હતા.

 

Related posts

૧૩,૧૪,૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા યોજાઇ સબ-જુનિયર અને જુનિયર રેસલિંગ કોમ્પિટિશન

Ahmedabad Samay

પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામાં બાદ તેમની પુત્રીએ કરેલી ભાવુક પોસ્ટ થઇ વાયરલ

Ahmedabad Samay

રાજ્ય સરકાર દ્વારા દિવાળી વેકેશન જાહેર કરાયુ

Ahmedabad Samay

1 ફેબ્રુઆરીથી બેન્કિંગને લગતા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા નિયમોમાં ત્રણ મહત્વના ફેરફાર આ પ્રમાણે છે

Ahmedabad Samay

ગુજરાતના ૧૯૪૫.૬ કિમીના દરિયાઈ કાંઠામાંથી ૫૩૭.૫ કિલોમીટરના દરિયાઈ કાંઠાનું ધોવાણ – કોંગ્રેસ પ્રવક્તા

admin

રાત્રી કર્ફ્યૂ આગામી 4 જૂન સુધી લંબાવવાની સત્તાવાર જાહેરાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો