March 24, 2026
ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

આજે ગુજરાતમાં સીએમ રૂપાણીના વડપણ હેઠળ કેબિનેટ બેઠક મળી હતી જેમાં અગત્યની ચર્ચાઓ થઈ હતી. હવે કોરોનાના કેસ ગુજરાતમાં નિયંત્રણમાં આવી ગયા હોવાથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો માટે સારા સમાચાર આવ્યા છે. લોકડાઉન બાદ હવે ધીમે ધીમે નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવેથી ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

અગાઉ લોકડાઉન દરમિયાન આ તમામ વ્યવસાયોને મોટો ફટકો પડ્યો હતો. પણ હવે પ્રથમ વખત છૂટ મળતા તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ થાય તેવી વ્યવસ્થા થઈ ગઈ છે.

સૂત્રો અનુસાર આજની કેબિનેટ બેઠકમાં અંબાજીમાં યોજાતા જગપ્રખ્યાત ભાદરવી પૂનમનાં મેળાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે નહીં, જોકે મંદિર માઈભકતો માટે ખુલ્લુ રાખવામાં આવશે. પૂનમના મેળામાં લાખો લોકો ભેગા થતાં હોય છે ત્યારે કોરોના વાયરસ વધવાનો ભય છે ત્યારે રાજય સરકાર ટૂંક સમયમાં આ   મેળાને લઈને SOP જાહેર કરી શકે છે. લોકોની આસ્થા પણ જળવાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

Related posts

અમદાવાદના જન્મદિન પર જાણો અમદાવાદ વિશે રસપ્રદ વાતો

Ahmedabad Samay

જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 10ના પરીણામ બાદ વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ

admin

હંદવારા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સૈનિકો માટે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, શહિદો ને શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદની અનાથ દીકરીને અમેરિકાના દંપતીએ દત્તક લીધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો