August 14, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. તેઓ 16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ઉપસ્થિત રહેશે. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.ઉમેદવારી નોંધાવતા પહેલા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં રેલી પણ કરશે.

ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો વર્તમાન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ છે. આવી સ્થિતિમાં જો ભાજપ ફરી સત્તામાં આવશે તો ભૂપેન્‍દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી બનશે. 2012માં ઘાટલોડીયા બેઠક પર અહીં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી યોજાયેલી બંને ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપનો વિજય થયો છે.

Related posts

આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

ઈસરોએ હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કર્યો

Ahmedabad Samay

બિલાવલ ભટ્ટો બાદ પાકિસ્તાનની મંત્રી સાઝિયા મર્રીએ ભારત વિશે ઝેર ઓક્યું

Ahmedabad Samay

૪ વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને ૨ વર્ષની સજા સંભળાવી

Ahmedabad Samay

વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા દ્વારા ગૌ રક્ષા મુદ્દે અમદાવાદના સંગઠનો સાથે મુલાકાત લીધી

Ahmedabad Samay

બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટયા બાદ કિશોરી પર દુષકર્મ ગુજાર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો