May 9, 2026
અપરાધગુજરાત

બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટયા બાદ કિશોરી પર દુષકર્મ ગુજાર્યું

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા રાજાવીર સર્કલ પાસે રહેતી 15 વર્ષીય પૂનમ (નામ બદલ્યું છે) ગત શનિવારે બહેનપણીને મળવા જવાનું કહી ઘરેથી નિકળી હતી. જો કે બે કલાક સુધી પુત્રી ઘરે ના આવતા માતાએ પૂનમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન રેશ્મા મહાવીર કસરત શાળા સામે બેઠી હોવાની જાણ માતાને થઇ હતી

માતાએ પુત્રીને લઈ ઘરે પહોંચ્યા બાદ પૂછપરછ કરી હતી. પૂનમે માતાને જણાવ્યું કે, અગાઉ આપણી સાથે રહેતો વિજય (નામ બદલ્યું છે)  મને પહેલાં બળજબરીથી લઈને ભાગી ગયો હતો. તે વિજયે મને ફ્રેન્ડના ફોનથી ફોન કરીને મળવા માટે બોલાવતા,હું તેને મળવા માટે ગઇ હતી. વિજય બાદમાં મને રીક્ષા માં બેસાડી એક જર્જરીત મકાનમાં લઇ ગયો હતો. ત્યાં અમે બન્ને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન વિજયે મારી સાથે અડપલાં શરૂ કર્યા હતા અને બળજબરીપૂર્વક મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તે મને રીક્ષામાં કસરત શાળા પાસે ઉતારી ફરાર થઈ ગયો હતો

પુત્રીની વાત સાંભળી પૂનમની માતાએ સરદારનગર પોલીસ સ્ટેશન પહોંચી અને વિજય વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ભોગ બનનાર કિશોરી પૂનમનું મેડિકલ ચેકઅપ કરાવી પોલીસે તપાસ કરતા જાણવા મળેલ કે અગાઉ વિજય વિરૂધ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પૂનમનું  અપહરણ કરવાનો ગુનો  પરિવારજનોએ નોંધાવ્યો હતો. આ મામલે પોલીસે  વિજયનો જવાબ લઈ તેને બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો હતો. એક મહિના પહેલા બાળ રિમાન્ડ હોમમાંથી છૂટેલા વિજયે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું

Related posts

વલસાડ જિલ્લા પોલીસે 4 કલાકની તપાસ બાદ બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad Samay

AMC સંચાલિત હોસ્પિટલોમાં વેક્સીન ન લેનારને પ્રવેશ નહીં અપાય

Ahmedabad Samay

૧૦૮ તરિકે જાણીતા જન સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત અને “સેવા પરમો ધર્મ” માનનારા સંજય સાહુ સાથે મુલાકાત

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

Ahmedabad Samay

આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો:મનસુખભાઇ વસાવા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો