June 27, 2026
દુનિયાતાજા સમાચાર

બિલાવલ ભટ્ટો બાદ પાકિસ્તાનની મંત્રી સાઝિયા મર્રીએ ભારત વિશે ઝેર ઓક્યું

પાકિસ્તાનની મંત્રી સાઝિયા મર્રીએ કહ્યું કે અમે ભારત વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી રહ્યાં નથી પરંતુ હિન્દુસ્તાનમાં જે વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર છે તેની વિરુદ્ધ અમારી ફરિયાદ છે. તેણે કહ્યું કે તમે વારંવાર પાકિસ્તાન વિરુદ્ધ આરોપતા લગાવશો અને પાકિસ્તાન ચુપચાપ સાંભળતું રહેશે તે થવાનું નથી. શાઝિયાએ મોદી સરકારને પડકાર આપતા સુધરી જવાનું કહ્યું હતું. બિલાવલ ભુટ્ટોના પુતળા સળગાવવાની ધમકી આપી રહ્યાં છો, જ્યારે તમારા ખુદના પુતળા હિન્દુસ્તાનમાં સળગી રહ્યાં છે.

શાઝિયા મર્રીએ મોદી સરકારને કહ્યું કે જો મોદી સરકાર લડશે તો જવાબ પણ મળશે. અમને જે ન્યૂક્લિયર સ્ટેટનો દરજ્જો મળ્યો છે તે મૌન રહેવા માટે રાખ્યો છે. પાકિસ્તાન જવાબ આપવાનું પણ જાણે છે. હકીકતમાં શાઝિયા મર્દીની આ પ્રતિક્રિયા બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં આવી છે. બિલાવલ ભુટ્ટોએ હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેમાં તેણે તેમને ગુજરાતના કસાઈ જણાવ્યા હતા.

બિલાવલ ભુટ્ટોએ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્રની બાજુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત સરકારને મહાત્મા ગાંધીના બદલે હિટલરથી પ્રભાવિત હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. બિલાવલે પીએમ મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા.

Related posts

પાકિસ્તાનમાં બની ચોકવનારી ઘટના, સગી છોકરી સાથે પિતાએ કર્યા ચોથા લગ્ન

Ahmedabad Samay

શાહના નેતૃત્વમાં 1 લાખ 44 હજાર કિલોથી વધુ માદક દ્રવ્યોનો કરવામાં આવ્યો નાશ

Ahmedabad Samay

સોનું ખરીદનારાઓની લાગી લોટરી: 3500 રૂપિયા સસ્તું થયું ગોલ્ડ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી

Ahmedabad Samay

સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત ‘હમારા રામ આયે હૈં’ આજે થશે રિલીઝ

Ahmedabad Samay

નેપાળમાં રાષ્ટ્રીય કટોકટી, પ્રધાનમંત્રી, ગુહમંત્રી અને રાષ્ટ્રપતિએ આપ્યું રાજીનામુ, નેપાળ ભગવાન ભરોસે

Ahmedabad Samay

પાંચ દિવસથી જારી રૂસ-યુક્રેન જંગમાં આવતા ૨૪ કલાક ઘણા મહત્‍વના,યુક્રેનનો દાવો રશિયાના લગભગ ૪૩૦૦ સૈનિકો માર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો