March 23, 2026
ગુજરાતઅપરાધતાજા સમાચાર

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

વસ્ત્રાપુર લેક પાસે અમદાવાદ વનમોલના સીનેમાઘરમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો હતો. જેમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી હતી. જેના કારણે ત્‍યાં હાજર લોકો ગભરાઈને અફડાતફડીનો માહોલ જોવા મળ્‍યો હતો. ફિલ્‍મના પોસ્‍ટર સિનેપોલીસ સીનેમાઘરમાં દેખાતા કાર્યકરોએ ઉગ્ર દેખાવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પઠાણ ફિલ્‍મમાં કિંગ ખાન અને દીપિકા પાદુકોણ સ્‍ટારર ફિલ્‍મ સોંગ ‘બેશરમ રંગ’ રિલીઝ થયું હતું. આ સોંગ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્‍મને બોયકોટ કરવાનો ટ્રેન્‍ડ શરૂ થયો હતો.

અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા અમદાવાદ વન મોલમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાણ ફિલ્‍મનો વિરોધ કર્યો હતો. અગાઉ પણ શાહરૂખ ખાનની ફિલ્‍મ પઠાણ ગુજરાતમાં રિલીઝ નહિ કરવા ચીમકી ઉચ્‍ચારી હતી તેમ છતાં મોલમાં પોસ્‍ટરો લાગતા નુકસાન પહોંચાડ્‍યું. એટલું જ નહીં VHP એ આ ફિલ્‍મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ તેવી ચીમકી ઉચ્‍ચારી છે. આ સમયે મોલમાં આવનારા ગ્રાહકો પણ માહોલ થી ગભરાઈ ગયા હતા.

વિરોધ થતા જ પોલીસ ઘટના સ્‍થળે પોહચી મામલો શાંત પાડ્‍યો હતો પરંતુ તોડ ફોડ અંગે હાલ પોલીસ વીડિયોના આધારે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ VHP અને બજરંગ દળ દ્વારા જુદા જુદા કાર્યક્રમો આપી પઠાણ ફિલ્‍મનો વિરોધ કર્યો હતો.આ બનાવ બાદ  રાજ્‍યમાં વિરોધનો સુર ઉઠ્‍યો હોવાનું દેખાઈ રહ્યું છે જેને પગલે આગામી સમયમાં અન્‍ય જિલ્લા કે શહેરોમાં પણ કાર્યકરો વિરોધ કરે તેવી શકયતા છે.આ સમગ્ર મામલે હાલ વીડિયોના આધારે પોલીસ તપાસ કરી રહી છે. હવે પઠાણ ફિલ્‍મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો છે અને અન્‍ય જગ્‍યા પણ વિરોધ થાય તેવી શકયતા છે. બનેલી આ ઘટના અંગે વીડિયો સામે આવતા હવે પોલીસ અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે.

Related posts

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના વધુ 3 દિવસ રિમાન્ડ મંજૂર, ઇવેન્ટ કંપની સાથે છેતરપિંડી મામલે કોર્ટમાં થઈ સુનાવણી!

admin

RTE માં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૭૦૦ બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો

Ahmedabad Samay

જાણો જાણી શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહમાં કઈ રાશિના જાતકોએ પૈસાની બાબતે ધ્યાન રાખવું.

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

રામોલ વિસ્તારમાં નામ બદનામ કરવામાં બદલે એક યુવકની હત્યા કરાઇ

Ahmedabad Samay

નવા શૈક્ષણિક વર્ષથી રાજ્‍યની તમામ પ્રી-સ્‍કૂલોમાં ત્રિસ્‍તરીય કિંડરગાર્ટન શિક્ષણ કાર્યક્રમ રજૂ કરશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો