February 5, 2026
ગુજરાતઅપરાધ

લવ જેહાદનો વધુ એક કિસ્સો, ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું

વડોદરામાં ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે નિકાહ કરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ૨૩ વર્ષીય યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને તેના નિકાહ કરાવાયા છે. અયાઝ શેખ નામના યુવકે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને તેનું નામ બદલીને આહિરા શેખ કરાવ્યું અને મહારાષ્ટ્રમાં જઈને નિકાહ કર્યા હતા.

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય બ્રાહ્મણ દીકરીનું ધર્મ પરિવર્તન કરીને તેના નિકાહ કરાવાયા છે. ત્યારે ચકચારિ કિસ્સામાં શહેરના અગ્રણીઓએ પણ ભારે વિરોધ નોંધાવ્યો છે. તેમજ યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તો સમગ્ર કિસ્સા મામલે યુવતીના ભાઈએ જણાવ્યું કે, યુવકે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામથી મારી બહેનનો પરિચય કર્યો હતો. તેથી મારા પરિવારે કારેલીબાગ પોલીસમાં અરજી આપી છે. સમગ્ર મામલામાં ભાજપ નેતાઓ અને હિન્દુ સંગઠનો વચ્ચે પડ્યા છે. હાલ યુવતીનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. મને મારી બહેન પાછી જોઈએ, એને પટાવી ફોસલાવી માઈન્ડ વોશ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ યુવતીના પિતાએ કહ્યું કે, તેઓ સમગ્ર ઘટના મામલે અઁધારામાં હતા.

યુવતીની આપવીતી
ધર્મ પરિવર્તન કરનારી યુવતીએ કહ્યું કે, તે ૬ વર્ષથી અયાઝના સંપર્કમાં હતી. શરૂઆતના દિવસોમાં મળ્યા બાદ તેઓ પ્રેમમાં પડ્યા હતા. જેના બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મને નિકાહ કરવા માટે અયાઝ મુંબઈ લઈ ગયો હતો, જ્યાં બાન્દ્રાની મસ્જિદમાં મારા નિકાહ કરાવાયા હતા. જેના બાદ અમે વડોદરા આવ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મને લોકોનો સપોર્ટ મળ્યો હતો. લોકોએ મને સમજાવી છે. તેથી વિચારીશ. હવે હુ અયાઝને પણ હિન્દુ બનવા માટે કહીશ.

 

Related posts

હનીટ્રેપમાં ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પીધુ

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે

Ahmedabad Samay

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા CISF સબ ઇન્સપેક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો