May 9, 2026
રાજકારણ

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીનો પ્રચાર આજે સમાપ્ત, 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીના પ્રચારનો ધમધમાટ આજે સાંજે સમાપ્ત થઈ જશે. બંને રાજ્યોમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. મેઘાલય વિધાનસભાની કુલ 60 બેઠકો અને નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે મતદાન થશે. પ્રચારના છેલ્લા દિવસે મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષોએ પૂરજોશમાં કામે લાગી ગયા છે. આ પહેલા ગઈકાલે ભાજપ વતી પીએમ મોદીએ મેઘાલય અને નાગાલેન્ડમાં પ્રચાર કર્યો હતો. તેમણે રેલીઓને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અને ભાજપના શાસનની સરખામણી કરી હતી.

મેઘાલયમાં 60 બેઠકો પર 375 ઉમેદવારો

27 ફેબ્રુઆરીએ યોજાનારી મેઘાલય વિધાનસભાની 60 બેઠકો માટે 375 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) 57 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) એ તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP) એ 47 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે VPP અને HSDP એ અનુક્રમે 18 અને 11 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તમામ પક્ષો પોતાના સ્તરે ચૂંટણી લડી રહ્યા છે.

નાગાલેન્ડમાં 59 બેઠકો પર ચૂંટણી, 183 ઉમેદવારો

નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે કુલ 183 ઉમેદવારો મેદાનમાં છે અને તેમાંથી માત્ર ચાર મહિલાઓ છે. એક બેઠક પર, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કાઝેટો કિનીમીએ ઝુનહેબોટો જિલ્લાની અકુલુટો વિધાનસભા બેઠક પર ચૂંટણી લડ્યા વિના જીત મેળવી છે. કિનીમી સામે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ જીત્યા. સત્તાધારી NDPP 40 બેઠકો પર, ભાજપ 20 પર, કોંગ્રેસ 23 પર જ્યારે NPF 22 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 15 બેઠકો પર લોક જનશક્તિ (એલજેપી-રામ વિલાસ), એનપીપી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 12-12 બેઠકો પર અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) નવ બેઠકો પર, જનતા દળ (યુનાઈટેડ) સાત બેઠકો પર, રાષ્ટ્રીય જનતા દળ ત્રણ અને સીપીઆઈ અને રાઇઝિંગ ધ પીપલ્સ પાર્ટી એક-એક સીટ પર ચૂંટણી લડી રહી છે.

Related posts

ગાંધીનગરમાં BJP દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર

Ahmedabad Samay

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા નવા ઉપરાષ્ટ્રપતિ

Ahmedabad Samay

કાલે નેતાજીનો રિજલ્ટ થશે જાહેર. કાલે ખબર પડશે કોણ પાસ અને કોણ નાપાસ

Ahmedabad Samay

જ્યોતિરાદિત્ય સિંધિયા યુક્રેનથી બુકારેસ્ટ થઈને દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા ભારતીય નાગરિકો સાથે વાતચીત કરી હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો