August 13, 2026
અપરાધગુજરાત

સુરત: નિવૃત્ત મામલતદારના ઘરે સાફ-સફાઈ કરવા આવેલી બે મહિલા ઘરઘાટીએ પહેલા જ દિવસે હાથ સાફ કર્યો, 7.80 લાખના દાગીના લઈ ફરાર થઈ

સુરતના વેસુ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. અહીં, વ્રજભૂમિ બંગ્લોઝમાં રહેતા નિવૃત્ત મામલતદારના ઘરે બે મહિલા ઘરઘાટી તરીકે આવી હતી. જો કે, કામના પહેલા જ દિવસે બંને મહિલા ઘરમાંથી સાફ-સફાઈનું કામ કરી આશરે કિંમત 7.80 લાખના 20 તોલા સોનાના દાગીના લઈ ફરાર થઈ છે. હાથફેરો કરી ફરાર થતી આ બંને મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે વેસુ પોલીસે બંને મહિલા સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે.

ઘર કામની શોધમાં આવી, પહેલા જ દિવસે ચોરી કરી ફરાર થઈ

માહિતી મુજબ, વેસુ વિસ્તારમાં આવેલા વ્રજભૂમિ બંગ્લોઝમાં નિવૃત્ત મામલતદાર વસંત પટેલ (ઉં.43) પરિવાર સાથે રહે છે. દરમિયાન સવારના અરસામાં બે મહિલાઓ કામની શોધ સાથે તેમના ઘરે આવી હતી. આ મહિલાઓએ વસંતભાઇની પત્ની જયાબેન સાથે વાત કરી હતી અને પોતાનું નામ ગીતા અને પૂનમ જણાવ્યું હતું. બંને મહિલાઓએ ઘરનું બધુ કામ કરવાની અને સાફ-સફાઈ સાથે સારું કામ કરી આપવાની ખાતરી આપી હતી. જો કે, પરિચય લઈ જયાબેને બંને મહિલાઓને ઘર કામ માટે રાખી હતી. પરંતુ, કામના પહેલા જ દિવસે બંને મહિલાઓએ ઘરની સાફ-સફાઈ દરમિયાન સોનાના દાગીનાની ચોરી કરી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.

સીસીટીવીમાં ફરાર બંને મહિલા કેદ થઈ

દરમિયાન જયાબેને બેડરૂમમાં કબાટ ખોલી ચેક કરતા તેમાંથી સોનાનું પેન્ડલ, ચેઇન, બંગડી, વીંટી, મંગળસૂત્ર, બુટ્ટી અને મોતીની માળી સહિત કુલ 20 તોલા સોનાના દાગીના (કિંમત અંદાજે રૂ.7.80 લાખ) ગાયબ હતા. આથી પરિવારે વેસૂ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં બે મહિલા ઘરકામ બાદ ત્યાંથી ફરાર થતી નજરે પડે છે. આથી પોલીસે સીસીટીવીના આધારે બંને મહિલાની શોધખોળ આદરી છે.

Related posts

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

Ahmedabad Samay

રિંકુ શર્માને ન્યાય અપાવવા માટે દેશ વ્યાપી આંદોલન કરવું જોઈએ: આર.પી.સિંહ બઘેલ(ARHS)

Ahmedabad Samay

પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી

Ahmedabad Samay

૧૭ સપ્ટેમ્બર શુક્રવારે આવી રહી છે પરીવર્તીની એકાદશી, શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા જાણો એકાદશીનું મહત્વ

Ahmedabad Samay

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો