August 8, 2026
ગુજરાત

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

રાજ્યમાં દરેક બાળક માતૃભાષા ગુજરાતી સારી રીતે શીખી શકે અને ભણી શકે તે માટે આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગુજરાતી ભાષા ફરજિયાત અંગેનું બિલ રજૂ કર્યું હતું. આ બિલને ચર્ચા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ મુજબ, રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. જ્યારે ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ પણ કરાઈ છે. આ બિલ અંગે વિપક્ષના નેતા અમિત ચાવડાએ ટિપ્પણી કરી હતી કે, વિદ્યાર્થીઓ સાથે સરકારી અધિકારીઓ માટે પણ ગુજરાતી ભાષા ફરજિયાત કરવી જોઈએ. સરકારી અધિકારીઓ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરે તે માટે તેમણે ટકોર કરી હતી.

ધો.1થી ધો.8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરાશે

મીડિયા અહેવાલ મુજબ, અમિત ચાવડાએ કહ્યું હતું કે, સરકારને કેમ છેક ત્યારે ગુજરાતી ભાષા ફરજિયાત કરવાની જરૂર લાગી? વિદ્યાર્થીઓ સાથે સરકારી અધિકારીઓએ પણ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરવો જોઈએ. જણાવી દઈએ કે આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે પસાર કરાયું હતું. આ બિલમાં રાજ્યની તમામ શાળાઓમાં ધો.1થી ધો.8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. આ બિલ પર સત્તાપક્ષ અને વિપક્ષના કુલ 18 ધારાસભ્યએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

 

કેટલીક શાળાઓ નિયમનો કરતી હતી ભંગ

માહિતી મુજબ, વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આ બિલમાં નિયમોનો ભંગ કરતી રાજ્યની શાળો સામે દંડ અને સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્યમાં કેટલીક અંગ્રેજી માધ્યમની સ્કૂલો સહિત અન્ય સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નહોતી. આથી હાઈકોર્ટે આ મામલે સરકારની ઝાટકણી કાઢી હતી.  ત્યારે હવે રાજ્ય સરકારે ગુજરાતી ભાષા માટે બિલ પસાર કર્યું છે. હવે જલદી આ અંગે કાયદો બનાવવામાં આવશે

Related posts

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

શ્રાવણ માસમાં ઇન્ટરનેટથી શિવજીની પૂજા કરશે હિન્દુ સેના

Ahmedabad Samay

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

આ મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ફરી શરૂ થશે

Ahmedabad Samay

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો