August 7, 2026
ગુજરાતરાજકારણ

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિપક્ષના નેતા નક્કી કરી શકી નથી. તેવામાં હવે AIMIMના શહેર પ્રમુખ સમસાદ પઠાણે પોતાની પાર્ટીના ચૂંટાયેલા 7 કોર્પોરેટરોને સાથે રાખીને મેયર કિરીટ પટેલને આવેદન પત્ર આપ્યુ હતું અને આ આવેદનપત્રમાં AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી હતી.

સમસાદ પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ચાર મહિના થઈ ગયા છે. સત્તાપક્ષ પોતાની સત્તા પર છે પરંતુ વિરોધ પક્ષના નેતા હજુ કોઈ બનાવવામાં આવ્યા નથી. લોકશાહીમાં વિરોધ પક્ષ પ્રજાનો મજબૂત અવાજ હોય છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ મજબૂત નથી.

વિરોધ પક્ષ તરીકે જવાબદારી કોંગ્રેસના 24 કોર્પોરેટરની છે પરંતુ તેઓ આ જવાબદારી નિભાવતા નથી એટલે પ્રજાનો અવાજ ઉઠાવવા માટે AIMIM અમારી પાર્ટીના જમાલપુરના કોર્પોરેટર મોહમ્મદ રફીક શેખને વિરોધ પક્ષના નેતા બનાવવા માટે મેયરને રજૂઆત કરી છે.

તેમણે એવું જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ કે કોર્પોરેટર પક્ષથી નારાજ હોય તો તેઓ AIMIMમાં જોડાઈ શકે છે. અમે મજબૂત વિપક્ષ બનીને પ્રજાના પ્રશ્નોને વાચા આપીશું. મહત્ત્વની વાત છે કે અમદાવાદમાં AIMIM સૌ પ્રથમવાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને AIMIMએ 6 વોર્ડમાંથી 21 ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા અને તેમાંથી 7 બેઠકો પર AIMIMના ઉમેદવારોનો વિજય થયો છે.

Related posts

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

Ahmedabad Samay

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay

ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત ના પ્રમુખ શ્રી મહેશ સિંહ કુશવાહા દ્વારા હોળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

જુનાગઢ એ ડિવિઝન પોલીસે વિસ્તારમાં દારૂનું બાર ખોલી ચલાવતા પકડી પાડ્યું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો