August 7, 2026
ગુજરાત

મેટ્રોનું બાકી કામ ડિસેમ્બર 2023માં થઇ જશે પૂર્ણ, વિધાનસભામાં પૂછાયો પ્રશ્ન

ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્ન અનુસાર સરકારે 2023માં મેટ્રોનું અમદાવાદ શહેરમાં કામ પૂર્ણ થશે તેની ડેડલાઈન આપી છે. અમદાવાદમાં કેટલુંક કામ બાકી છે ત્યારે આ કામગિરી ક્યારે પૂર્ણ થશે તેના જવાબના ભાગરુપે પ્રશ્નોતરી કાળમાં આ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મેટ્રો અત્યારે પૂર્વથી લઈને પશ્ચિમના છેડા સુધી બે અલગ અલગ રુટ પર ચાલી રહી છે. ત્યારે આ રૂટ સિવાય 1.43 કિમીનું કામ બાકી છે. તેની કામગિરી પણ અત્યારે ચાલી રહી છે. મોટાભાગની અમદાવાદની કામગિરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આ બાકી કામગિરીને લઈને  પૂછાયેલા સવાલના જવાબમાં સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

વિધાનસભામાં પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલ પર ગૃહમાં જવાબ રજૂ કરાયો હતો. અમદાવાદમાં શહેરમાં બાકી રહેલા મેટ્રોનું કામ તેજીથી શરું છે. ત્યારે અન્ય રુટ પર 1.43 કિમીનું કામ ડીસેમ્બર 2023માં પૂર્ણ થતા સંપૂર્ણ કામગિરી પૂર્ણ થશે. ખાસ કરીને અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.

અમદાવાદની મેટ્રોમાં અત્યારે મુસાફરોની સંખ્યા વધી છે ત્યારે સવલતો પણ મુસાફરોને મળી રહી છે. અત્યારે દર 20 મિનિટ અમદાવાદીઓને દરેક સ્ટેશન પર મેટ્રો ઉપલબ્ધ થઈ રહી છે. મેટ્રોમાં મોટી સંખ્યામાં મુસાફરો થલતેજથી વસ્ત્રાલ સુધના વધુ મળી રહ્યા છે. આગામી સમયમાં વધુ  ફ્રીક્વન્સી પણ મેટ્રોની વધી શકે છે. આ ઉપરાંત અત્યારે સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

Related posts

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

Ahmedabad Samay

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

આખુ દેશ શોકમાં ડુબ્યુ,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન પામ્યા

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરના તાબા હેઠળ

Ahmedabad Samay

૫.૫ તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો