June 27, 2026
ગુજરાત

અમદાવાદના આંગણે AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા કોન્ક્લેવના પ્રથમ દિવસે નિષ્ણાતોએ આપ્યું વિષયવસ્તુનું જ્ઞાન

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા બે દિવસીય ટેક્સ કોન્ક્લેવનું 2023નું આયોજન JB ઓડિટોરિયમ, એ.એમ.એ. અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું બે દિવસ ચાલનાર પ્રથમ દિવસે કોન્ક્લેવનું ઉદઘાટન શ્રીમતી સોનિયા ગોકાણી, ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ, ગુજરાત હાઇકોર્ટ કે જેમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે આ વિષય પર મહત્વની વાત કહી હતી.

પ્રત્યક્ષ અને પરોક્ષ કર પરના આ બે દિવસીય સેમિનારમાં 390થી વધુ લોકોએ હાજરી આપી હતી ફક્ત અમદાવાદ જ નહીં ગુજરાતના વિવિધ પ્રાંતના લોકોએ હાજરી આપી હતી. આવકવેરા અને જી.એસ.ટી.ના જાણીતા નિષ્ણાત વક્તાઓ એવા સિનિયર એડવોકેટ શ્રી તુષાર હેમાણી, શ્રી એડવોકેટ મનીષ શાહ, શ્રી એડવોકેટ ધીનલ શાહ, સી.એ. શ્રી અભિષેક રાજા રામ કે જેમણે જુદા જુદા વિષય પર વાત કરી હતી. બ્રેઈન ટ્રસ્ટના ટ્રસ્ટી એવા સીએ શ્રી મેહુલ ઠક્કર, સીએ શ્રી મિતિષ મોદી, એડવોકેટ શ્રી મેહુલ પટેલ, સી.એ. શ્રી અસીમ ઠક્કર અને સી.એ. શ્રી હિરેન શાહે આઇ.ટી.ને લગતા લોકોને મૂંઝવતા ઘણા પ્રશ્નો ઉકેલ્યા હતા. નાગરીકોને ટેક્સને લગતી ઘણી મૂંઝવણો હોય છે ત્યારે ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સની તમામ વિગતોની જાણકારી આ કોન્કલેવમાં પ્રથમ દિવસે આપવામાં આવી હતી. અગાઉ પણ ત્રણ વખત આ આયોજન થયું છે ત્યારે ચોથા વર્ષે પણ આ ટેક્સ કોન્કલેવનું સફળતા પૂર્વક આયોજન થયું છે. પ્રથમ દિવસે ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો હતો ત્યારે આવતી કાલે કોન્ક્લેવના બીજા દિવસે ભારતના વિવિધ ભાગોના નિષ્ણાત વક્તા વિવિધ વિષયો પર સંબોધન કરશે.

Related posts

મહાત્મા ગાંધી લો કોલેજ ખાતે ક્વિઝ કોમ્પિટિશન રાખી માનવ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

તાંડવઃ વેબ સિરીઝ સામે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચનું તાંડવ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ના અમદાવાદ જિલ્લા સહ મંત્રી અને ટીમ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ સેવા

Ahmedabad Samay

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Ahmedabad Samay

અમદાવાદ-બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો