June 22, 2026
ગુજરાત

વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત નહી કરવા બદલ વિક્રમ ઠાકોર લડી લેવાના મૂડમાં

વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત નહી કરવા બદલ વિક્રમ ઠાકોર લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યાં છે. ગઈકાલે ગાંધીનગર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી બે ત્રણ દિવસમાં તેઓ એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકશે અને લોકોનો અભિપ્રાય લેશે ત્યારબાદ આગળ નિર્ણય લેશે.

વિક્રમ ઠાકોરે સ્નેહમિલન બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, નિર્ણય  કર્યો તો છે, પણ એમાં  એવું થયું કે આટલી બધી પબ્લિકમાં બધાનો અલગ અલગ અભિપ્રાય હતો.  કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો  આવ્યા હતા. ભાજપના પણ ઘણા બધા આગેવાન નેતાઓ અહીં આવ્યા હતા. ઘણા બધા આવી પણ નથી શક્યા.  કેમ કે અચાનક આ પ્રોગ્રામ અમે અચાનક નક્કી કર્યો.

કાલ સાંજે નક્કી કર્યું અને આજે પ્રોગ્રામ હતો. એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા.  નિર્ણયમાં એવું છે કે હું કાલ કે પરમ દિવસે એક પોસ્ટ મૂકીશ. એ પોસ્ટમાં જે પણ કોમેન્ટો આવશે. જે અમારા ઠાકોર અથવા તો દરેક સમાજના જે જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ. કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માંગે છે.  અત્યારે અહીં આ વસ્તુ કરવાની જ હતી.  પણ  વધારે ભીડના કારણે  થઈ ના શકી. તો કાલ પરમ દિવસે પોસ્ટ મૂકીશ હું અને પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માંગે છે કે મારે આગળ શું કરવું જોઈએ. એ પ્રમાણે આગળ વધીશું

Related posts

RTE માં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૭૦૦ બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો

Ahmedabad Samay

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાત રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

Ahmedabad Samay

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

Ahmedabad Samay

ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસથી મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ ફરી શરૂ

Ahmedabad Samay

વધતી જતી બેરોજગારીના સમયે SPS સિક્યોરિટીમાં આવી મોટી ભરતી, રોજગારી મેળવવા માટે આજે જ સમ્પર્ક

Ahmedabad Samay

આવતીકાલે બાબા બાગેશ્વર આવશે અમદાવાદ, 29મેના રોજ યોજોશે લોકદરબારનો કાર્યક્રમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો