August 7, 2026
ગુજરાત

વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત નહી કરવા બદલ વિક્રમ ઠાકોર લડી લેવાના મૂડમાં

વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત નહી કરવા બદલ વિક્રમ ઠાકોર લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યાં છે. ગઈકાલે ગાંધીનગર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી બે ત્રણ દિવસમાં તેઓ એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકશે અને લોકોનો અભિપ્રાય લેશે ત્યારબાદ આગળ નિર્ણય લેશે.

વિક્રમ ઠાકોરે સ્નેહમિલન બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, નિર્ણય  કર્યો તો છે, પણ એમાં  એવું થયું કે આટલી બધી પબ્લિકમાં બધાનો અલગ અલગ અભિપ્રાય હતો.  કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો  આવ્યા હતા. ભાજપના પણ ઘણા બધા આગેવાન નેતાઓ અહીં આવ્યા હતા. ઘણા બધા આવી પણ નથી શક્યા.  કેમ કે અચાનક આ પ્રોગ્રામ અમે અચાનક નક્કી કર્યો.

કાલ સાંજે નક્કી કર્યું અને આજે પ્રોગ્રામ હતો. એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા.  નિર્ણયમાં એવું છે કે હું કાલ કે પરમ દિવસે એક પોસ્ટ મૂકીશ. એ પોસ્ટમાં જે પણ કોમેન્ટો આવશે. જે અમારા ઠાકોર અથવા તો દરેક સમાજના જે જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ. કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માંગે છે.  અત્યારે અહીં આ વસ્તુ કરવાની જ હતી.  પણ  વધારે ભીડના કારણે  થઈ ના શકી. તો કાલ પરમ દિવસે પોસ્ટ મૂકીશ હું અને પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માંગે છે કે મારે આગળ શું કરવું જોઈએ. એ પ્રમાણે આગળ વધીશું

Related posts

અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

૧૭મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્‍કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત

Ahmedabad Samay

મહારાષ્ટ્રમાં ૨૮ માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો