March 27, 2026
ગુજરાત

અમદાવાદના આંગણે AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા કોન્ક્લેવના પ્રથમ દિવસે નિષ્ણાતોએ આપ્યું વિષયવસ્તુનું જ્ઞાન

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા બે દિવસીય ટેક્સ કોન્ક્લેવનું 2023નું આયોજન JB ઓડિટોરિયમ, એ.એમ.એ. અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું બે દિવસ ચાલનાર પ્રથમ દિવસે કોન્ક્લેવનું ઉદઘાટન શ્રીમતી સોનિયા ગોકાણી, ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ, ગુજરાત હાઇકોર્ટ કે જેમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે આ વિષય પર મહત્વની વાત કહી હતી.

પ્રત્યક્ષ અને પરોક્ષ કર પરના આ બે દિવસીય સેમિનારમાં 390થી વધુ લોકોએ હાજરી આપી હતી ફક્ત અમદાવાદ જ નહીં ગુજરાતના વિવિધ પ્રાંતના લોકોએ હાજરી આપી હતી. આવકવેરા અને જી.એસ.ટી.ના જાણીતા નિષ્ણાત વક્તાઓ એવા સિનિયર એડવોકેટ શ્રી તુષાર હેમાણી, શ્રી એડવોકેટ મનીષ શાહ, શ્રી એડવોકેટ ધીનલ શાહ, સી.એ. શ્રી અભિષેક રાજા રામ કે જેમણે જુદા જુદા વિષય પર વાત કરી હતી. બ્રેઈન ટ્રસ્ટના ટ્રસ્ટી એવા સીએ શ્રી મેહુલ ઠક્કર, સીએ શ્રી મિતિષ મોદી, એડવોકેટ શ્રી મેહુલ પટેલ, સી.એ. શ્રી અસીમ ઠક્કર અને સી.એ. શ્રી હિરેન શાહે આઇ.ટી.ને લગતા લોકોને મૂંઝવતા ઘણા પ્રશ્નો ઉકેલ્યા હતા. નાગરીકોને ટેક્સને લગતી ઘણી મૂંઝવણો હોય છે ત્યારે ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સની તમામ વિગતોની જાણકારી આ કોન્કલેવમાં પ્રથમ દિવસે આપવામાં આવી હતી. અગાઉ પણ ત્રણ વખત આ આયોજન થયું છે ત્યારે ચોથા વર્ષે પણ આ ટેક્સ કોન્કલેવનું સફળતા પૂર્વક આયોજન થયું છે. પ્રથમ દિવસે ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો હતો ત્યારે આવતી કાલે કોન્ક્લેવના બીજા દિવસે ભારતના વિવિધ ભાગોના નિષ્ણાત વક્તા વિવિધ વિષયો પર સંબોધન કરશે.

Related posts

AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી સમયમાં હિંદુ લઘુમતીમાં મૂકાઈ જશે

Ahmedabad Samay

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનતો જનાના વિભાગના કામમાં દાંડાઈ સામે આવતા સુપ્રિટેન્ડેન્ટને પીઆઇયુને નોટિસ ફટકારશે

Ahmedabad Samay

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવા માં આવ્યું

Ahmedabad Samay

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો