March 25, 2026
ગુજરાત

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં જાખણ ગામના પાટિયા પાસે આઇશર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2 વ્યકિતના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.

….અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે. જેમાં અસંખ્ય લોકો અકાળે મોતને ભેટે છે. ત્યારે લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં આ ગોઝારા અકસ્માત બાદ આઇસર ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ થયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે અને બાદમાં લીંબડી સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા. લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે આઇશર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી ઘટનાસ્થળેથી નાસી છૂટેલા આઇસર ચાલકને ઝબ્બે કરવા સાથેની વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ હોસ્પિટલે પણ સમાજના લોકો મોટી સંખ્યામાં દોડી જતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતા.

Related posts

ગુજરાત હાઈકોર્ટે સુરક્ષાની માંગણી કરતી અરજી પર સરકારને નોટિસ જારી કરી

Ahmedabad Samay

આપ ની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી

Ahmedabad Samay

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો . .

Ahmedabad Samay

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay

ગુજરાત સરકારે જાહેરનામુ પાડ્યુ બહાર, દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે

Ahmedabad Samay

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો