March 29, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલની જાહેરમાં અંધાધૂન ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી. આ કેસ મામલે હવે ઉત્તરપ્રદેશની એસટીએફ ટીમ અમદાવાદ આવી પહોચી છે. શહેરની સાબરમતી જેલમાં બંધ યુપીનો કુખ્યાત ગેંગસ્ટર અને રાજકારણી અતિક અહેમદને લઈ પુરાવા એકત્ર કરવા માટે યુપીની એસટીએફ ટીમ અમદાવાદ આવી છે.

માહિતી મુજબ, ઉત્તરપ્રદેશની એસટીએફની એક ટીમ અમદાવાદ આવી છે. શહેરના સાબરમતી જેલમાં બંધ યુપીના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા યુપી એસટીએફ ટીમ અમદાવાદ આવી હોવાની માહિતી છે. યુપી એેસટીએફની ટીમને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અતિક અહેમદના કેટલાક સાગરીત તેને મળવા માટે અમદાવાદ આવ્યા હતા. આથી STF દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે અતિકના સાગરીતો કઈ હોટેલ અને મકાનમાં રોકાયા હતા અને અતિકને મળવા કોણ-કોણ આવ્યું હતું. યુપી STFની ટીમને અમદાવાદ પોલીસ દ્વારા પણ તપાસમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો?

જણાવી દઈએ કે, સાલ 2005માં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બસપાના ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં યુપીનો કુખ્યાત ગેંગસ્ટર કમ રાજકારણી અતિક અહેમદ મુખ્ય આરોપી છે. રાજૂપાલ હત્યાકાંડમાં ઉમેશ પાલ એકમાત્ર સાક્ષી હતા. ઉમેશ પાલ એ રાજૂપાલના સાળા હતા. જો કે, 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં ઉમશ પાલની પણ હત્યા કરવામાં આવી હતી. જાહેરમાં છ જેટલા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી અને બોમ્બ ફેંકીને માત્ર 47 સેકન્ડમાં પાલની હત્યા કરી ફરાર થયા હતા. આ હત્યાકાંડ બાદથી ગેંગસ્ટર અતિક અહેમદ અને તેની ગેંગ વિરુદ્ધ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, ઉમેશ પાલની હત્યામાં યુપી પોલીસે અતીકના ભાઈ, તેની પત્ની સહિસ્તા પરવીન અને તેના પુત્ર અહઝાન અને અબાન વિરુદ્ધ FIR નોંધી છે. અતીક અહેમદના પુત્ર સહિત કુલ 14 લોકોની પણ પોલીસે પૂછપરછ માટે અટકાયત કરી હતી. આ કેસમાં આરોપીઓને પકડવા માટે પ્રયાગરાજના જોઈન્ટ સીપીના નેતૃત્વમાં કુલ 10 ટીમો બનાવવામાં આવી છે.

Related posts

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા ટેક્સ કોન્કલેવ યોજાશે

Ahmedabad Samay

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓએ શહેરમાં સૌપ્રથમવાર ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી

Ahmedabad Samay

૧૨૦૦ બેડમાં સેવા આપતા એક સેવકની આંખો દેખી વ્યથા,એક સામાન્ય નાગરિક ની લાગણી : મજાક ના સમજતા કોરોના ને

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં અમદાવાદની સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે ‘સ્વાગત સપ્તાહ’ નિમિતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

જૂની વીએસ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓને સારવાર માટે વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો