January 25, 2025
ગુજરાત

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

ગંભીર પ્રકારના ગુનામાં હાલના તબક્કે જામીન ન આપવા આપવા જોઈએ તેવી રજૂઆત પોલીસે તથ્ય પટેલના જામીન મામલે કરી છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરાઈ હતી.  ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી રજૂઆત કરાઈ હતી. પીડિત પક્ષના વકીલ પણ હાજ રહ્યા હતા.  કોર્ટે વધુ સુનાવણી આવતીકાલ સુધીમાં મુલતવી રાખી છે.

તથ્ય પટેલની જામીન અરજીના વિરોધમાં પોલીસે એફિડેવિટી નોંધાવી છે.  9 લોકોને અડફેટે લેનાર તથ્ય પટેલની જામીનનો પોલીસે જ વિરોધ કર્યો છે.
પીડિતોના વકીલ તરફથી તથ્યને જામીન મળશે તો પુરાવાને નુકસાન થઈ શકે છે તેમ કહેવામાં આવ્યું હતું.

થોડા સમય પહેલા જ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા છે. આ મામલે પિતા પુત્ર બન્ને જેલમાં બંધ છે. તથ્ય પટેલની જામીન અરજી સામે કેમ જામીન ન આપવી તેના કારણો આપવામાં આવ્યા છે. સૌથી ગંભીર પ્રકારનો આ ગુનો છે. પિડીત પરીવાર પણ હાજર રહ્યો હતો. આવતીકાલ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે.

ઈસ્કોન અકસ્માત બ્રિજ કેસ મામલે એક સાથે 9 લોકોના જીવ તથ્ય પટેલની કારની અડફેટે આવતા થયા છે. કમકમાવતી આ ઘટના વિશે આજે પણ લોકો યાદ કરે છે તો કરુણ દ્રશ્યો સામે આવી જાય છે ત્યારે તથ્ય પટેલ અને તેના પિતા અત્યારે જેલમાં બંધ છે. આજે તથ્યની રેગ્યુલર જામીન અરજી પર રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી.

Related posts

IRCTCની જબરદસ્ત ધાર્મિક યાત્રાધામ ઓફર

Ahmedabad Samay

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે શરૂ.

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ-ધોલેરામાં રાજ્ય કક્ષાની પર્યાવરણ દિનની ઉજવણી, ધોલેરા તાલુકામાં 12,000 હેક્ટરમાંથી અત્યાર સુધીમાં 7,000 હેક્ટરમાં ચેરનું વાવેતર પૂર્ણ

Ahmedabad Samay

આજથી પાંચ મોટા ફેરફાર,આમ જનતાના જીવન પર કરશે અસર

Ahmedabad Samay

અમરેલી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ માત્ર સીનસપાટા કરવા અને નાના માણસોને નિશાન બનાવવા માટે કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો