August 13, 2026
Other

સોરઠમાં હવામાન પલટાયુ, જૂનાગઢમાં હળવા છાંટા પડ્યા, રવિવાર સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી

સોરઠ પંથકમાં કાલે સવારથી જ વાતાવરણમાં પલ્ટાથી ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ પાંચ દિવસ સુધી વાતાવરણમાં બદલાવ સાથે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 19 માર્ચ સુધી પવન સાથે માવઠું છુટા છવાયા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગત અઠવાડિયે બચાવવા ખેડૂતો ભારે દોડધામ થઈ હતી જુનાગઢ માર્કેટિંગ યાર્ડના કિસાન ભવનના લોકાર્પણને લઈ ખેડૂતોની તમામ જણસો લાવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે પરંતુ અગાઉ આવી ગયેલો ખેડૂતોનો માલ કોઈ પણ કારણોસર વેચાણ ન થતા યાર્ડમાં આવેલા શેડમાં પડેલો હતો કેન્દ્રના ગૃહમંત્રી આવવાના હોવાથી યાર્ડના નવમાંથી પાંચ શેડ ખાલી કરવામાં આવ્યા છે જેના કારણે ખાલી કરાવેલ શેડમાં રહેલો ઘઉં ધાણા સહિતનો માલને યાર્ડની પાછળના ભાગમાં આવેલ ખુલી જગ્યામાં રાખવામાં આવ્યો છે આજે સવારે આગાહી મુજબ યાર્ડમાં છાંટા આવ્યા હતા જેથી ખુલ્લામાં રાખેલ ખેડૂતોના માલને વરસાદથી બચાવવા ખેડૂતો પ્લાસ્ટિક ઢાંકવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા સદનસીબે માત્ર છાંટા બાદ વરસાદ બંધ થઈ જતા ખેડૂતોના માલને મોટું નુકસાન થતા બચી ગયું છે ખેડૂતોની સંસ્થા એવું માર્કેટ યાર્ડમાં રાજકીય તાઈફાને ખેડૂતોને જ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવે તેમ છે આજે હવામાન વિભાગે તારીખ 19 માર્ચ સુધીની કમોસમી વરસાદની આગાહી કરી છે

Related posts

ટ્રાફિક જામમાં ફસાવ તો હેલ્પલાઈન નંબરની મદદ લઈ શકશો

Ahmedabad Samay

લોક મુખે ચર્ચાતા અમદાવાદના ભૂતિયા સ્થળ

Ahmedabad Samay

ભારતનો શાનદાર વિજય,ભારતે પાકિસ્તાનને ૬૧ રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત સાથે સુપર-૮ રાઉન્ડમાં સત્તાવાર પ્રવેશ કર્યો

Ahmedabad Samay

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

Ahmedabad Samay

કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો