June 27, 2026
Other

સોરઠમાં હવામાન પલટાયુ, જૂનાગઢમાં હળવા છાંટા પડ્યા, રવિવાર સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી

સોરઠ પંથકમાં કાલે સવારથી જ વાતાવરણમાં પલ્ટાથી ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ પાંચ દિવસ સુધી વાતાવરણમાં બદલાવ સાથે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 19 માર્ચ સુધી પવન સાથે માવઠું છુટા છવાયા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગત અઠવાડિયે બચાવવા ખેડૂતો ભારે દોડધામ થઈ હતી જુનાગઢ માર્કેટિંગ યાર્ડના કિસાન ભવનના લોકાર્પણને લઈ ખેડૂતોની તમામ જણસો લાવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે પરંતુ અગાઉ આવી ગયેલો ખેડૂતોનો માલ કોઈ પણ કારણોસર વેચાણ ન થતા યાર્ડમાં આવેલા શેડમાં પડેલો હતો કેન્દ્રના ગૃહમંત્રી આવવાના હોવાથી યાર્ડના નવમાંથી પાંચ શેડ ખાલી કરવામાં આવ્યા છે જેના કારણે ખાલી કરાવેલ શેડમાં રહેલો ઘઉં ધાણા સહિતનો માલને યાર્ડની પાછળના ભાગમાં આવેલ ખુલી જગ્યામાં રાખવામાં આવ્યો છે આજે સવારે આગાહી મુજબ યાર્ડમાં છાંટા આવ્યા હતા જેથી ખુલ્લામાં રાખેલ ખેડૂતોના માલને વરસાદથી બચાવવા ખેડૂતો પ્લાસ્ટિક ઢાંકવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા સદનસીબે માત્ર છાંટા બાદ વરસાદ બંધ થઈ જતા ખેડૂતોના માલને મોટું નુકસાન થતા બચી ગયું છે ખેડૂતોની સંસ્થા એવું માર્કેટ યાર્ડમાં રાજકીય તાઈફાને ખેડૂતોને જ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવે તેમ છે આજે હવામાન વિભાગે તારીખ 19 માર્ચ સુધીની કમોસમી વરસાદની આગાહી કરી છે

Related posts

તરુણ શર્માને બજરંગ દળ હિંદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Ahmedabad Samay

ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા શીખ સમાજ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા પગલે જયપુર બંધનો એલાન

Ahmedabad Samay

GIFA ૨૦૨૩ નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ઉજવાયો

Ahmedabad Samay

૨૦૩૦ સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્‍સેદારી સાથે પેન્‍શન લાભો ૨૨ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો