February 6, 2026
Other

સોરઠમાં હવામાન પલટાયુ, જૂનાગઢમાં હળવા છાંટા પડ્યા, રવિવાર સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી

સોરઠ પંથકમાં કાલે સવારથી જ વાતાવરણમાં પલ્ટાથી ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ પાંચ દિવસ સુધી વાતાવરણમાં બદલાવ સાથે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 19 માર્ચ સુધી પવન સાથે માવઠું છુટા છવાયા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગત અઠવાડિયે બચાવવા ખેડૂતો ભારે દોડધામ થઈ હતી જુનાગઢ માર્કેટિંગ યાર્ડના કિસાન ભવનના લોકાર્પણને લઈ ખેડૂતોની તમામ જણસો લાવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે પરંતુ અગાઉ આવી ગયેલો ખેડૂતોનો માલ કોઈ પણ કારણોસર વેચાણ ન થતા યાર્ડમાં આવેલા શેડમાં પડેલો હતો કેન્દ્રના ગૃહમંત્રી આવવાના હોવાથી યાર્ડના નવમાંથી પાંચ શેડ ખાલી કરવામાં આવ્યા છે જેના કારણે ખાલી કરાવેલ શેડમાં રહેલો ઘઉં ધાણા સહિતનો માલને યાર્ડની પાછળના ભાગમાં આવેલ ખુલી જગ્યામાં રાખવામાં આવ્યો છે આજે સવારે આગાહી મુજબ યાર્ડમાં છાંટા આવ્યા હતા જેથી ખુલ્લામાં રાખેલ ખેડૂતોના માલને વરસાદથી બચાવવા ખેડૂતો પ્લાસ્ટિક ઢાંકવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા સદનસીબે માત્ર છાંટા બાદ વરસાદ બંધ થઈ જતા ખેડૂતોના માલને મોટું નુકસાન થતા બચી ગયું છે ખેડૂતોની સંસ્થા એવું માર્કેટ યાર્ડમાં રાજકીય તાઈફાને ખેડૂતોને જ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવે તેમ છે આજે હવામાન વિભાગે તારીખ 19 માર્ચ સુધીની કમોસમી વરસાદની આગાહી કરી છે

Related posts

મિશ્ર પ્રતિસાદ હોવા છતાં લાલ સલામને સારી હેડલાઇન્સ મેળવવામાં સફળ રહી

Ahmedabad Samay

ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા શીખ સમાજ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ (NUCFDC), શહેરી સહકારી બેંકો (UCBs) માટેની અમ્બ્રેલા સંસ્થાનું લોકાર્પણ કરશે.

Ahmedabad Samay

કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો