August 13, 2026
Other

સોરઠમાં હવામાન પલટાયુ, જૂનાગઢમાં હળવા છાંટા પડ્યા, રવિવાર સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી

સોરઠ પંથકમાં કાલે સવારથી જ વાતાવરણમાં પલ્ટાથી ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ પાંચ દિવસ સુધી વાતાવરણમાં બદલાવ સાથે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 19 માર્ચ સુધી પવન સાથે માવઠું છુટા છવાયા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગત અઠવાડિયે બચાવવા ખેડૂતો ભારે દોડધામ થઈ હતી જુનાગઢ માર્કેટિંગ યાર્ડના કિસાન ભવનના લોકાર્પણને લઈ ખેડૂતોની તમામ જણસો લાવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે પરંતુ અગાઉ આવી ગયેલો ખેડૂતોનો માલ કોઈ પણ કારણોસર વેચાણ ન થતા યાર્ડમાં આવેલા શેડમાં પડેલો હતો કેન્દ્રના ગૃહમંત્રી આવવાના હોવાથી યાર્ડના નવમાંથી પાંચ શેડ ખાલી કરવામાં આવ્યા છે જેના કારણે ખાલી કરાવેલ શેડમાં રહેલો ઘઉં ધાણા સહિતનો માલને યાર્ડની પાછળના ભાગમાં આવેલ ખુલી જગ્યામાં રાખવામાં આવ્યો છે આજે સવારે આગાહી મુજબ યાર્ડમાં છાંટા આવ્યા હતા જેથી ખુલ્લામાં રાખેલ ખેડૂતોના માલને વરસાદથી બચાવવા ખેડૂતો પ્લાસ્ટિક ઢાંકવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા સદનસીબે માત્ર છાંટા બાદ વરસાદ બંધ થઈ જતા ખેડૂતોના માલને મોટું નુકસાન થતા બચી ગયું છે ખેડૂતોની સંસ્થા એવું માર્કેટ યાર્ડમાં રાજકીય તાઈફાને ખેડૂતોને જ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવે તેમ છે આજે હવામાન વિભાગે તારીખ 19 માર્ચ સુધીની કમોસમી વરસાદની આગાહી કરી છે

Related posts

G20 સમિટમાં લંચ અને ડિનરમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓનો સમાવેશ કર્યો

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

ગુજરાત લોકસભા અપડેટ

Ahmedabad Samay

GSRTC દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી, ૨૦ જેટલા મૃત્યુ પામ્યા ૫૦ જેટલા શ્રધ્ધાળુઓ ઘવાયા

Ahmedabad Samay

લ્યો બોલો નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો