રૂપાલાજીના રાજીનામાનો વિવાદ યથાવત ચાલુ રહ્યો છે,પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ કર્યો છે, રાજકોટ લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા પરસોતમભાઈ રૂપાલાના રાજીનામાની માગણી સાથે કરણી સેનાના પદ્મિનીબા વાળા દ્વારા અન્નનો ત્યાગ કર્યો છે,
આશાપુરા માતાજીના મંદિર પટાંગણમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે બેસી વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે સમાધાન કોઈ કાળે સ્વીકાર્ય નથી, વિરોધ યથાવત રહેશે
