August 12, 2026
દેશ

રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા સમાપ્ત કરવામાં આવી, ગઈકાલે જ સુરત કોર્ટે તેને બે વર્ષની કેદની સજા ફટકારી

રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા સમાપ્ત કરવામાં આવી છે. ગઈકાલે જ સુરત કોર્ટે તેને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું છે. તમને જણાવી દઈએ કે માનહાનિના કેસમાં સુરતની કોર્ટે ગુરુવારે જ રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા સંભળાવી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્‍યો છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા રદ કરી દીધી છે. વાસ્‍તવમાં, સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્‍યા હતા અને તેમને ૨ વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.

સુરત કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્‍યતા બેલેન્‍સમાં લટકી રહી હતી. હકીકતમાં, જનપ્રતિનિધિત્‍વ અધિનિયમ મુજબ, જો સાંસદો અને ધારાસભ્‍યોને કોઈ પણ સંજોગોમાં ૨ વર્ષથી વધુની સજા થઈ હોય, તો તેમનું સભ્‍યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવશે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્‍ય છે.

રાહુલ સામે હવે શું વિકલ્‍પો છે? રાહુલ ગાંધીની લોકસભાની સદસ્‍યતા સમાપ્ત થઈ ગઈ છે. જો કે, રાહુલ માટે સદસ્‍યતા જાળવી રાખવાના તમામ રસ્‍તા બંધ કરવામાં આવ્‍યા નથી. તેઓ તેમની રાહતને હાઈકોર્ટમાં પડકારી શકે છે, જ્‍યાં સુરત સેશન્‍સ કોર્ટના નિર્ણય પર સ્‍ટે આવે તો સભ્‍યપદ બચાવી શકાય છે. જો હાઈકોર્ટ સ્‍ટે નહીં આપે તો સુ-ીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડશે. આવી સ્‍થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્‍ટે આપવામાં આવે તો પણ તેમનું સભ્‍યપદ બચાવી શકાય છે. પરંતુ જો તેમને ઉપરની કોર્ટમાંથી રાહત નહીં મળે તો રાહુલ ગાંધી ૮ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.

રાહુલ ગાંધીએ ૧૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્‍દ્રભાઇ મોદીની અટક કેમ સામાન્‍યછે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ ૪૯૯, ૫૦૦ હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્‍યએ આરોપ લગાવ્‍યો હતો કે ૨૦૧૯માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે એવું કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?

Related posts

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

Ahmedabad Samay

બોલીવુડના દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે થયું નિધન

Ahmedabad Samay

એરટેલ દ્વારા પ્રિપેઇડ પ્લાન્સ ૨૫ ટકા જેટલા મોંઘા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

Ahmedabad Samay

મહારાષ્ટ્ર: રાયગઢ જિલ્લામાં મોટું ભૂસ્ખલન, અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળ્યા, કાટમાળ નીચે 100થી વધુ લોકો ફસાયા

Ahmedabad Samay

ભારતીય હવામાન વિભાગે 9 મે 2026ના રોજ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કુદરતી આફતની ચેતવણી આપી

Ahmedabad Samay

૧૭મી બાદ નવી ગાઈડલાઈન પ્રમાણે થશે કામકાજ, ૧૫મી એ રજૂ થઇ શકે છે નવી ગાઈડલાઈન.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો