February 5, 2026
દેશરાજકારણ

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, કોંગ્રેસે એવી રણનીતિ બનાવી છે કે વર્તમાન રાજકીય પરિસ્‍થિતિ માટે તેઓ આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતીને ભારતીય જનતા પાર્ટી સરકારને જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવા પર આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે એક સમિતિ બનાવવાનો પણ નિર્ણય કર્યો હતો. પાર્ટી હેડક્‍વાર્ટરમાં કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લી કર્જુન ખડગેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. સૂત્રોના જણાવ્‍યા અનુસાર એક સાંસદે સૂચન કર્યું કે તમામ પાર્ટીના સાંસદોએ સામૂહિક રાજીનામું આપવું જોઈએ. જો કે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

એક સાંસદે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદોએ સામૂહિક રાજીનામું આપી દેવું જોઈએ. આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે કર્ણાટક ચૂંટણીમાં પાર્ટીની જીત દ્વારા જવાબ આપવો જરૂરી બની ગયો છે. આગળની કાર્યવાહી અંગે વધુ નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. પાર્ટીએ તાજેતરના રાજકીય વિકાસ પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ નેતાઓ અને સહયોગી પક્ષોની આપાતકાલીન બેઠક બોલાવી હતી.

Related posts

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની નવી મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન સમયે કાશીનો નજારો બદલાઈ ગયો હતો.

Ahmedabad Samay

ફાઇટર જેટમાં ઉડાન ભરનાર દેશના ચોથા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મુ, આસામના તેજપુર એરબેઝથી ઉડાન ભરી

Ahmedabad Samay

ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં સિંધુ જળ સંધિને સ્‍થગિત કર્યા પછી પાકિસ્તાન ની પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ

Ahmedabad Samay

યૂક્રેન પ્રસ્તાવ પર ભારત રહ્યું મતદાનથી દૂર, પૂછ્યો વિશ્વને અરીસો બતાવતો સવાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો