March 24, 2026
દેશરાજકારણ

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, કોંગ્રેસે એવી રણનીતિ બનાવી છે કે વર્તમાન રાજકીય પરિસ્‍થિતિ માટે તેઓ આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતીને ભારતીય જનતા પાર્ટી સરકારને જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવા પર આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે એક સમિતિ બનાવવાનો પણ નિર્ણય કર્યો હતો. પાર્ટી હેડક્‍વાર્ટરમાં કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લી કર્જુન ખડગેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. સૂત્રોના જણાવ્‍યા અનુસાર એક સાંસદે સૂચન કર્યું કે તમામ પાર્ટીના સાંસદોએ સામૂહિક રાજીનામું આપવું જોઈએ. જો કે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

એક સાંસદે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદોએ સામૂહિક રાજીનામું આપી દેવું જોઈએ. આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે કર્ણાટક ચૂંટણીમાં પાર્ટીની જીત દ્વારા જવાબ આપવો જરૂરી બની ગયો છે. આગળની કાર્યવાહી અંગે વધુ નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. પાર્ટીએ તાજેતરના રાજકીય વિકાસ પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ નેતાઓ અને સહયોગી પક્ષોની આપાતકાલીન બેઠક બોલાવી હતી.

Related posts

કોંગ્રેસે વડાપ્રધાન મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમના માથા અને હાથ-પગ ગાયબ દર્શાવવામાં આવ્યા

Ahmedabad Samay

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

Ahmedabad Samay

વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી

Ahmedabad Samay

ચીનની ‘દાદાગીરી’ રોકવા એશિયામાં પોતાનું સૈન્ય મોકલશે અમેરિકા

Ahmedabad Samay

લોકસભા ચૂંટણીના આંચકા બાદ ૩ રાજ્યોના સીએમ એક્શન મોડમાં, ૩ રાજ્યોમાં ભરતીની જાહેરાત કરાઇ

Ahmedabad Samay

બિહારની આ નવી સરકારમાં એક CM અને બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલા અપનાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો