June 24, 2026
દેશરાજકારણ

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, કોંગ્રેસે એવી રણનીતિ બનાવી છે કે વર્તમાન રાજકીય પરિસ્‍થિતિ માટે તેઓ આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતીને ભારતીય જનતા પાર્ટી સરકારને જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવા પર આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે એક સમિતિ બનાવવાનો પણ નિર્ણય કર્યો હતો. પાર્ટી હેડક્‍વાર્ટરમાં કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લી કર્જુન ખડગેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. સૂત્રોના જણાવ્‍યા અનુસાર એક સાંસદે સૂચન કર્યું કે તમામ પાર્ટીના સાંસદોએ સામૂહિક રાજીનામું આપવું જોઈએ. જો કે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

એક સાંસદે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદોએ સામૂહિક રાજીનામું આપી દેવું જોઈએ. આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે કર્ણાટક ચૂંટણીમાં પાર્ટીની જીત દ્વારા જવાબ આપવો જરૂરી બની ગયો છે. આગળની કાર્યવાહી અંગે વધુ નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. પાર્ટીએ તાજેતરના રાજકીય વિકાસ પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ નેતાઓ અને સહયોગી પક્ષોની આપાતકાલીન બેઠક બોલાવી હતી.

Related posts

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

Ahmedabad Samay

દિલ્‍હી વિધાનસભાના મત EVM માં થયા કે, ૭૦૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે. પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે,

Ahmedabad Samay

એર ઇન્ડિયાના કર્મચારી હવે નોકરી પર જીન્સ, ટી – શર્ટ, સ્લીપર કે સેન્ડલ નહિ પહેરી શકે

Ahmedabad Samay

‘સિંધુ દર્શન યાત્રા’ હવે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે વધુ સુલભ બનશે,પ્રવાસીઓ માટે ₹15,000ની આર્થિક સહાય આપવામાં આવશે

Ahmedabad Samay

ચૂંટણી પંચે પાંચ રાજ્‍યોમાં ચૂંટણીની જાહેરાત કરી

Ahmedabad Samay

અમિતશાહ એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો