September 20, 2026
દેશ

૧૭મી બાદ નવી ગાઈડલાઈન પ્રમાણે થશે કામકાજ, ૧૫મી એ રજૂ થઇ શકે છે નવી ગાઈડલાઈન.

લોકડાઉન 3.૦મા સરકારે દેશને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વહેંચેલ છે. લોકડાઉન ૩.૦નો ૧૪ દિવસનો ગાળો ૧૭મીએ પુરો થઈ રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર લોકડાઉન પુરૂ થયા બાદના પ્લાન ઉપર આગળ વધી રહી છે તેવું જાણવા મળે છે. સરકાર દ્વારા દરેક જિલ્લાની સ્થિતિ પર અભ્યાસ  ચાલુ છે  અને રાજ્ય સરકારો સાથે ચર્ચા બાદ ત્રણેય ઝોનની નવી યાદી બહાર પડે તેવી શકયતા છે. સરકાર લોકડાઉન પુરૂ થયા પછી સ્થિતિને થાળે પાડવા માટે વિવિધ પ્રવૃતિની નેગેટીવ લીસ્ટની એક યાદી પણ તૈયાર કરી રહ્યુ છે. સરકાર એવો પ્લાન ઘડે છે કે અર્થતંત્ર પણ દોડતુ રહે અને લોકોને મુશ્કેલી પણ ન પડે.

૧૭મી પછી દેશની ઈકોનોમી ધમધમે અને લોકોની મુશ્કેલી પણ હળવી થાય એ બાબતનો પ્લાન સરકારે તૈયાર કરી.

૧૭મી બાદ શુ હશે સરકારની ગાઈડલાઈન

નવા ઝોનની યાદી બે ત્રણ દિવસમાં બહાર પાડશે

૧૫મીએ નિર્ણય  લેવાશેઃ

સેનીટેશન અને ડીસ્ટન્સીંગના આકરા નિયમો સાથે છૂટછાટ મળશેઃ

લોકોને ભેગા થવા નહિ દેવાયઃ

વિકલી બજારો, શાળા-કોલેજો શરૂ થઈ નહિ શકેઃ

જાહેર સ્થળોએ સેનીટેશનની  વ્યવસ્થા થશેઃ

પબ્લિક ટ્રાન્સપોર્ટ ખુલશે પરંતુ આકરા નિયમો હશેઃ

હવાઈ સેવા પણ શરૂ થશેઃ

સરકારી અને ખાનગી ઓફિસોમાં હેન્ડ સેનેટાઈઝર ફરજીયાત બનશેઃ

નિયમોના પાલનમાં ઈન્સ્પેકટર રાજ ન આવે તેની સરકાર કાળજી રાખશે

પબ્લિક ટ્રાન્સપોર્ટ વૈકલ્પીક બેઠક વ્યવસ્થા સાથે ડિસ્ટન્સીંગ રાખવા અને રેગ્યુલર ડીસ ઈન્ફેકટ  વ્યવસ્થા કરી શરૂ કરાશે.

હવાઈ સેવા પણ શરૂ કરવી જેમા વચલી સીટ ખાલી રાખવી.

 કામકાજના સ્થળે ૧૦થી વધુ લોકો એકઠા થઈ ન શકે.

નવી ગાઈડલાઈન્સમાં પ્રમાણે ફેકટરીમાં બે પાળી વચ્ચે ૪૦ મીનીટનો સમય રાખવો,

સેનીટેશનની વ્યવસ્થા રાખવી, હેન્ડ સેનેટાઈઝર જાહેર સ્થળો, પબ્લિક ટ્રાન્સપોર્ટ, સરકારી અને ખાનગી કામકાજના સ્થળોએ મુકવા.

લોકડાઉનનો ગાળો પુરો થાય તેના બે દિવસ પહેલા એટલે કે ૧૫મીએ આ અંગેની જાહેરાત થાય તેવી શકયતા છે.

 

Related posts

દિલ્હીના સીએમ ને લાફો મારનાર ના માતાએ કર્યા મોટા ખુલાસા, હાલમાં માનસિક તકલીફ પણ ધરાવે છે. તે ગમે ત્‍યારે ગુસ્‍સો થઇ જાય તો ઘરમાં અમને પણ મારકુટ કરી લેતો જણાવ્યું

Ahmedabad Samay

આંધ્રપ્રદેશમાં રવિવારે બે ટ્રેનની ટક્કરથી એક ભયાનક અકસ્‍માત થયો,૧૪ લોકોના મોત

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા, જાણો ૧૨ કિલ્લા વિશે માહિતી

Ahmedabad Samay

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

Ahmedabad Samay

બાળકો દ્વારા વપરાતી પેન્સિલ, શાર્પનર, ઇરેઝર, નોટબુક અને નકશા પર પણ ‘શૂન્ય’ ટકા GST

Ahmedabad Samay

ભારત બંધને સફળ બનાવવા ખેડૂતોના ચક્કાજામ ૧૧ના બદલે ૮ વાગ્યાથીજ શરૂ થઈ ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો