March 26, 2026
ગુજરાત

પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ

પોરબંદર છાયા વિસ્તારમાં આખલાઓનો આતંક વધ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આખલા પકડવાની ઝુંબેશ અભરાઈ પર ચડાવી દીધી હોય તેમ ઝુંબેશ બંધ કરી છે. આથી પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ ઉઠી છે. રાજ્ય સરકારે આદેશ આપ્યા બાદ પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા સહિત રઝળતા પશુઓ પકડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે ચલાવી હતી. આ કામગીરીમાં પોલીસ તંત્રને પણ સાથે રાખવામાં આવ્યા હતા. પરંતુ પ્રારંભે જ શુરા જેવો ઘાટ ઘડાયો હતો. શહેર માંથી થોડા થોડા સમયાંતરે ગણ્યા ગાંઠ્યા પશુ પકડ્યા બાદ આ આખલા પકડવાની ઝુંબેશ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને લાંબા સમયના વિરામ બાદ પણ આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.

હાલ મુખ્ય માર્ગો પર આખલાઓ અડિંગો જમાવી બેઠા હોય છે જેથી વાહન ચાલકોને હાલાકી પડે છે અને વાહન સ્લીપ તથા અકસ્માતનો ભય રહે છે તો શહેરની ગલીઓમાં પણ આખલાઓનો ત્રાસ યથાવત રહ્યો છે. આખલા યુદ્ધે ચડતા નજરે ચડે છે જેથી લોકોને ગલી માંથી પસાર થવામાં પણ ભય રહે છે અને આખલા યુદ્ધને કારણે વાહનોને નુકશાન થઈ રહ્યું છે તેમજ આખલા યુદ્ધે ચડતા લોકોને ઈજા પહોંચે છે જેથી આ ગંભીરતાને ધ્યાને લઈને પાલિકા તંત્ર દ્વારા આખલા પકડવાની ઝુંબેશ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

Related posts

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજના મુદ્દે બેસણા નું અનોખો કાર્યક્રમ યોજવા જતા પોલીસે બળ વાપરી ટીંગા ટોઢી કરી કરવામાં આવેલી ધરપકડ

Ahmedabad Samay

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

Ahmedabad Samay

બહુ ચર્ચિત આઇશા આત્મહત્યા કેસમાં પતિ આરીફની ધરપકડ કરાઇ, કાલે અમદાવાદ લવાશે

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

નવા નરોડામાં કન્સ્ટ્રક્શન કામના કારણે વરસાદી પાણી ભરાય છે અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડેછે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો