May 8, 2026
અપરાધ

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, આજે ક્રાઇમ બ્રાંચ કરી શકે છે આ કામ!

મહાઠગ કિરણ પટેલ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ આજે કિરણ પટેલને તપાસ અર્થે પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા બંગલા પર લઈ જઈ શકે છે.

જણાવી દઈએ કે કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવા અને રિનોવેશનના નામે રૂ. 35 લાખ છંછેરી લેવાના આરોપ છે. આ કેસ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, સોમવારે કિરણ પટેલને જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા બંગલા ખાતે તપાસ અર્થે લઈ જઈ શકાય છે. સ્થળ પર પંચનામું અને તપાસ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા કરવામાં આવી શકે છે.

કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા 

અગાઉ જગદીશ ચાવડા તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમના બંગલાને ગેરકાયદેસર કિરણ પટેલ અને તેની પત્ની પચાવી પાડવા માટે કાવતરું ઘડ્યું હતું. પરંતુ, સંજોગવશ તે બંને તેમના કાવતરાંમાં સફળ થઈ શક્યા નહોતા. જણાવી દઈએ કે, આ પહેલા કોર્ટે કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા તમામ માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે.

Related posts

ત્રણ હિન્દુ સગીરાઓને પ્રેમના જાળમાં ફસાવી તેમને હવસનો શિકાર બનાવવા માટે વિધર્મી યુવકો દ્વારા રચાયેલું એક વિચિત્ર ષડયંત્ર ખુલ્લું પડ્યું

Ahmedabad Samay

અમદાવાદ: ગોતાના વિસત એસ્ટેટમાંથી 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

Ahmedabad Samay

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલના ઉપર ઓપરેશન સિંદૂર હુમલાઓમાં, ત્રણેય આતંકવાદી સંગઠનોના વડાઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા

Ahmedabad Samay

બે દેશી બનાવટના કટ્ટા તથા 10 જીવતા કારતુસ સાથે એક ઇસમની નરોડા પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ: ભૂમાફિયાઓ સામે સરકારની લાલ આંખ, થલતેજમાં 30 વર્ષથી થયેલા ગેરકાયદેસરના દબાણ દૂર કરાયા!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો