May 10, 2026
ગુજરાત

ગાંધીનગર: બીજેપી પ્રદેશ સંગઠનની ચર્ચા વચ્ચે CM અને સી.આર. પાટીલનો ગુજરાત પ્રવાસ, જાણો શું છે રણનીતિ?

થોડા સમય પહેલાં જ ભાર્ગવ ભટ્ટની ભાજપના પ્રદેશ સંગઠનમાંથી મહામંત્રી પદેથી હકાલપટ્ટી થયા બાદ પ્રદેશ સંગઠનમાં વધુ મોટા ફેરફારની ચર્ચા હાલ થઈ રહી છે. ત્યારે આ ચર્ચા વચ્ચે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાત પ્રવાસ કરવાનું નક્કી કર્યું છે. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાત ભ્રમણ કરવાના હોય તેવા સમાચાર મળી રહ્યા છે. માહિતી મુજબ, વન ડે વિથ વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ ગુજરાત ભાજપના આ બંને નેતાઓ દરેકે જિલ્લાની મુલાકાત કરવાના છે.

પેજ સમિતિ મોડલની સમીક્ષા માટે ગુજરાત ભ્રમણ

જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી પહેલા જ સી.આર. પાટીલે વન-ડે ઇન વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમના નામે એક આખો દિવસ એક જિલ્લામાં પસાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે પાટીલ લોકસભા ચૂંટણી પહેલા પણ બૂથ લેવલ સુધી અને પેજ સમિતિના મોડલની સમીક્ષા કરવા માટે ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે.

માહિતી મુજબ, ​આ દરમિયાન તેઓ સાંસદો, ધારાસભ્યો, સંગઠનના નેતાઓ અને બૂથ સમિતિ સુધીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. જ્યારે મુખ્યમંત્રીનો ઉદ્દેશ્ય સરકારી યોજનાને સામાન્ય લોકો સુધી પહોંચાડવા પર આધારિત રહેશે. તેઓ પણ દરેકે જિલ્લામાં નવા પ્રકલ્પોના ઉદ્ઘાટન કરવા જિલ્લા સરકારી તંત્ર સાથે મુલાકાત કરીને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ બેઠકોમાં પણ પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર રહેશે.

Related posts

RTE માં અરજી રદ થઈ છે તેઓ ૧૯ જુલાઈ સુધીમાં તેમાં સુધારો કરી શકશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવ્યો

Ahmedabad Samay

આનંદનગરમાં લાગેલી આંગમાં ૦૩ લાખ રોકડ અને ઘરેણા બળીને ખાક થયા

Ahmedabad Samay

સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની કરી હત્યા

Ahmedabad Samay

BJP અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

Ahmedabad Samay

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો