June 24, 2026
અપરાધ

વડોદરા: પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનનું તાળું તોડી રૂ.4.40 લાખની મતા ચોરી ફરાર

વડોદરાના પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો એક બંધ મકાનના તાળા તોડી રૂ. 4.40 લાખની કિંમતના દાગીના ચોરી ફરાર થયા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ધોળા દિવસે ચોરીનો બનાવ થતા ગામજનોમાં ડરનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ, પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં પરિવાર સાથે રહેતા નિરાલીબેન પટેલ બપોરના સમયે પોતાના મકાનને તાળું મારીને ગામમાં રહેતા તેમના સંબંધીના ઘરે જમવા માટે ગયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી તેમાં પ્રવેશી સામાન વેર વિખેર કર્યો હતો અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ 4.40 લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા. નિરાલીબેને જ્યારે પરત આવીને જોયું તો તાળું તૂટેલું મળ્યું હતું અને ધોળા દિવસે તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

ચોરોને પકડવા માટે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લેવાઈ

આ મામલે નિરાલીબેને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આથી પોલીસની ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. તસ્કરોનું પગેરું મેળવવા માટે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી રહી છે. ધોળા દિવસે મકાનમાં ચોરી થયાની ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે. ગામજનોમાં પણ તસ્કરોનો ડર સતાવી રહ્યો છે. પોલીસ દ્વારા જલદી ચોરોને પકડવામાં આવે તેની ગામજનો માગ કરી રહ્યા છે.

Related posts

ઝૂલતો પુલ દુર્ઘટના : જેલમાં બંધ જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી, ૪ માર્ચે સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમા અજાણ્યા માણસો છુપાયાનો મેસેજ મળતા દોડધામ મચી ગઇ

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

વી.એચ.પ પ્રાંતના સંગઠન પ્રધાન શ્રી ખગેન્દ્ર ભાર્ગવની કાર પર ફાયરિંગ

Ahmedabad Samay

ડૉ.વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો