May 9, 2026
ગુજરાત

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં ગુજરાતીઓ ઠગ કહેવાના મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. માર્ચ મહિનામાં આપેલા તેમના નિવેદનને ગુજરાતની જનતાના અપમાન સાથે જોડવામાં આવ્યું છે.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં 26 એપ્રિલે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી કરશે. માનહાનિ કેસમાં તેજસ્વી યાદવ પર ગુજરાતની જનતાનું અપમાન કરવાનો આરોપ છે. આ માટે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તેજસ્વી યાદવે માર્ચના અંતમાં વિધાનસભા પરિસરમાં નિવેદન આપ્યું હતું. માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધશે? ટીપ્પ્ણી મામલે તેજસ્વી યાદવ સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે અમદાવાદ કોર્ટમાં પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવશે. બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ  26 એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. માનહાનિના આ કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ શું કાર્યવાહી કરે છે? તેનો આજે નિર્ણય થશે.

કોર્ટે માનહાનિનો કેસ દાખલ કરવા પર સુનાવણી માટે 1 મેની તારીખ નક્કી કરી હતી. આ અંગે આજે સુનાવણી થશે. કોર્ટમાં બપોરના ત્રણ વાગ્યાનો સમય નક્કી કરાયો છે. માનહાનિના કેસની પ્રારંભિક સુનાવણી બાદ મેટ્રો કોર્ટ પૂછપરછ કરી શકે છે કે રજૂ કરાયેલા તથ્યો સાચા છે કે નહીં. જો કોર્ટને માનહાનિના કેસમાં રાખવામાં આવેલા તથ્યો સાચા લાગે તો કોર્ટ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવને પણ સમન્સ જારી કરી શકે છે.

પ્રથમ રાઉન્ડમાં કોર્ટ ફરિયાદી દ્વારા આપવામાં આવેલા પુરાવાઓની તપાસ કરશે. જો કોર્ટ તેજસ્વી યાદવ સામે સમન્સ જારી કરે છે તો આવનારા દિવસોમાં બિહારના નાયબ મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી શકે છે. માર્ચ મહિનામાં આપેલા તેમના નિવેદનને ગુજરાતની જનતાના અપમાન સાથે જોડવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે માનહાનિના કેસમાં કોર્ટ શું નિર્ણય લે છે?

Related posts

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

Ahmedabad Samay

અરવિંદ કેજરીવાલ પરના માનહાની કેસ મામલે જાણો અમદાવાદ કોર્ટમાં શુ થઈ હતી રજૂઆત

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિઓની તપાસ કરતી NIAનું પોલીસ સ્ટેશન અહીં સ્થપાશે, ગૃહ વિભાગનો મહત્ત્વનો નિર્ણય

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો