May 12, 2026
અપરાધ

અમદાવાદ: અસારવામાં લુખ્ખા તત્વોનો આતંક, દુકાનમાં પ્રવેશી વેપારીને પાઇપ વડે માર માર્યો, ઘટના CCTVમાં કેદ

અમદાવાદના અસારવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક એકવાર ફરી જોવા મળ્યો છે. આઇસ્ક્રીમ પાર્લરની એક દુકાનમાં પ્રવેશીને કેટલાક લુખ્ખા તત્વોએ વેપારીને માર માર્યો હતો. લાકડી અને લોખંડની પાઇપ વડે વેપારી પર હુમલો કર્યો હોવાની આ હચમચાવે એવી ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે અસારવા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અસારવાના ચમનપુરા વિસ્તારમાં ખોડિદાસની નવી ચાલીમાં આવેલી એક આઇસ્ક્રીમ પાર્લરની દુકાનમાં વેપાર પર જીવલેણ હુમલો થયો હતો. વેપારી પર 3-4 લુખ્ખા તત્વોએ લાકડાના દંડા અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીવીટી ફૂટેજમાં દેખાય છે કે 3-4 અસામાજિક તત્વો દુકાનમાં પ્રવેશીને વેપારી પર હુમલો કરે છે. દરમિયાન એક મહિલા પણ દુકાનમાં હાજર હતી.

સીસીવીટીના આધારે તપાસ

આ સમગ્ર ઘટના અંગે વેપારીએ ફરિયાદ કરતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. જો કે, આ હુમલો કયા કારણે કરાયો હતો તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. પરંતુ, જાહેરમાં દુકાનમાં પ્રવેશી વેપારીને માર મારવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

પેટ્રોલ પંપના માલિકે ડીપોઝીટ પરત નહિ આપતા પંચરની દુકાનના માલિકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

સોલા: વિવાન્તા ઇન્ટરનેશનલ સ્પા પર અમદાવાદ કરાઈમ બ્રાન્ચની Anti Human Trafficking Unit ટીમે દ્વારા દરોડો પાડી ગેરકાયદેસર દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો

Ahmedabad Samay

રામોલ વિસ્તારમાં નામ બદનામ કરવામાં બદલે એક યુવકની હત્યા કરાઇ

Ahmedabad Samay

ફિલ્મ જગતમાં શોકનો માહોલ, મશહૂર ફિલ્મ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી

Ahmedabad Samay

ટંકારામાં નિયમોનુસાર શ્રમિકોની માહિતી નહિ આપનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો