June 24, 2026
ગુજરાત

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં ગુજરાતીઓ ઠગ કહેવાના મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. માર્ચ મહિનામાં આપેલા તેમના નિવેદનને ગુજરાતની જનતાના અપમાન સાથે જોડવામાં આવ્યું છે.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં 26 એપ્રિલે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી કરશે. માનહાનિ કેસમાં તેજસ્વી યાદવ પર ગુજરાતની જનતાનું અપમાન કરવાનો આરોપ છે. આ માટે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તેજસ્વી યાદવે માર્ચના અંતમાં વિધાનસભા પરિસરમાં નિવેદન આપ્યું હતું. માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધશે? ટીપ્પ્ણી મામલે તેજસ્વી યાદવ સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે અમદાવાદ કોર્ટમાં પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવશે. બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ  26 એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. માનહાનિના આ કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ શું કાર્યવાહી કરે છે? તેનો આજે નિર્ણય થશે.

કોર્ટે માનહાનિનો કેસ દાખલ કરવા પર સુનાવણી માટે 1 મેની તારીખ નક્કી કરી હતી. આ અંગે આજે સુનાવણી થશે. કોર્ટમાં બપોરના ત્રણ વાગ્યાનો સમય નક્કી કરાયો છે. માનહાનિના કેસની પ્રારંભિક સુનાવણી બાદ મેટ્રો કોર્ટ પૂછપરછ કરી શકે છે કે રજૂ કરાયેલા તથ્યો સાચા છે કે નહીં. જો કોર્ટને માનહાનિના કેસમાં રાખવામાં આવેલા તથ્યો સાચા લાગે તો કોર્ટ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવને પણ સમન્સ જારી કરી શકે છે.

પ્રથમ રાઉન્ડમાં કોર્ટ ફરિયાદી દ્વારા આપવામાં આવેલા પુરાવાઓની તપાસ કરશે. જો કોર્ટ તેજસ્વી યાદવ સામે સમન્સ જારી કરે છે તો આવનારા દિવસોમાં બિહારના નાયબ મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી શકે છે. માર્ચ મહિનામાં આપેલા તેમના નિવેદનને ગુજરાતની જનતાના અપમાન સાથે જોડવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે માનહાનિના કેસમાં કોર્ટ શું નિર્ણય લે છે?

Related posts

અમદાવાદ – મકરબા વિસ્તારમાં બિલ્ડીંગની દિવાલ પડતા એક મજૂરનું થયું મોત

Ahmedabad Samay

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

Ahmedabad Samay

શ્રાવણ માસમાં ઇન્ટરનેટથી શિવજીની પૂજા કરશે હિન્દુ સેના

Ahmedabad Samay

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી

Ahmedabad Samay

RTE ફ્રી શાળા પ્રવેશની જાહેરાત થઇ ચુકી છે. મેળવો સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો